(દિનેશ જોષી) કોડીનાર,તા.30
કોડીનાર નજીક આવેલ સુપ્રસિદ્ધ પૌરાણિક ધાર્મિક સ્થળ મહાપ્રભુજીની બેઠક સુધી જવા માટે શિંગોડા નદી ઉપર 67 લાખના ખર્ચે 90 મીટરના પુલ બનાવવા માટેનું ભૂમિ પૂજન અને ખાતમુહુર્ત કોડીનારના ધારાસભ્ય ડો.પ્રદ્યુમનભાઈ વાજા ના હસ્તે કરવામાં આવ્યું.
કોડીનાર મૂળદ્વારકા રોડ ઉપર આવેલ સુપ્રસિદ્ધ અને પૌરાણિક ધાર્મિક સ્થળ મહાપ્રભુજીની બેઠકે દર્શન માટે વૈષ્ણવોને શ્રદ્ધાળુઓ દૂર દૂરથી આવે છે પરંતુ ચોમાસા દરમિયાન શિંગોડા નદીમાં પાણી રહેતું હોવાથી બેઠકજી સુધી દર્શેને જવા શ્રદ્ધાળુઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને આ રસ્તો બંધ હોવાથી છ મહિના બેઠકજીએ દર્શન માટે ફરી ફરીને જવું પડે છે.
ત્યારે આ સમસ્યાના નિરાકરણ માટે વૈષ્ણવો દ્વારા માજી સાંસદ દિનુભાઈ સોલંકી અને કોડીનારના ધારાસભ્ય પ્રદ્યુમન વાજા ને ધ્યાને મુકતા ધારાસભ્ય વાજા દ્વારા આ બાબતે સરકારમાં રજૂઆતો કરતા સરકાર દ્વારા ડીએમએફની ગ્રાન્ટ માંથી 51 લાખ મંજૂર કરાવી જ્યારે 17 લાખ રૂપિયા જેવી રકમ લોક ભાગીદારી થી એકઠી કરી કોડીનાર નગરપાલિકાની નોડલ એજન્સીની નિમણૂક કરી અને આ નદી ઉપર 90 મીટર ની લંબાઈ વાળો 67 લાખના ખર્ચે પુલ બનાવવાનું મંજૂર કરાવી આજે ધારાસભ્ય ડો.પ્રદ્યુમનભાઈ વાજા,ચેમ્બર પ્રમુખ હરિભાઈ વિઠલાણી, તાલુકા ભાજપ પ્રમુખ જીતુભાઈ બારડ અને શહેર ભાજપ પ્રમુખ અજયભાઈ પરમાર દ્વારા ખાતમુહુર્ત ભૂમિ પૂજન કરવામાં આવ્યું.
આ તકે પ્રદ્યુમનભાઈ વાજાએ અને નોડલ એજન્સીના કે વી બારડે જણાવ્યું હતું કે હવે ચોમાસા વચ્ચે થોડો સમય જ બાકી હોય માટે આ કામને અગ્રતા આપી યુદ્ધના ધોરણે ચોમાસા પહેલા બેઠક સુધીનું પુલનું નિર્માણ અમે એક માસમાં જ પૂર્ણ કરી દેશું આ કામ માટે અમે કટિબદ્ધ છીએ આ ભૂમિ પૂજન અને ખાતમુહુર્ત પ્રસંગે પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકી, બિલેશ્વર ખાંડ ઉદ્યોગના ચેરમેન પ્રતાપભાઈ ડોડીયા, સહકારી અગ્રણી ભગુભાઈ પરમાર, દિલીપભાઈ મોરી સહિત મોટી સંખ્યા માં સહકારી આગેવાનો વૈષ્ણવો મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતાં.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy