બુધવારે જસદણમાં સ્વામી નારાયણ ગુરૂકુળનો શિલાન્યાસ: 108 કાર-બાઈક રેલી યોજાશે

Local | Jasdan | 28 April, 2025 | 11:10 AM
40 વિઘા જમીનમાં સ્કૂલ-હોસ્ટેલનું અદ્યતન નિર્માણ કરાશે
સાંજ સમાચાર

(નરેશ ચોહલીયા)જસદણ,તા.28
જસદણ આટકોટ હાઇવે ઉપર 40 વીઘામાં અધ્યતન ભવ્ય સ્વામિનારાયણ ગુરૂકુળનું નિર્માણ થશે: અખાત્રીજના શિલાન્યાસ સમારોહ 108 કાર બાઈક ની રેલી યોજાશે.

ભૂમિના મુખ્ય દાતા વિપુલભાઈ સુળીયા હરિ નમકીન કેબિનેટ મંત્રી  બાવળીયા સહિત અનેક રાજકીય સામાજિક ઔદ્યોગિક સંસ્થાના આગેવાનો સાધુ સંતો ઉપસ્થિત રહેશે જસદણ ગુરૂકુળનો શિલાન્યાસ સમારોહ જસદણ ખાતે યોજાવાનો છે. તારીખ 30-4-2025 ને બુધવારે અખાત્રીજના પવિત્ર દિવસે સવારે 8 કલાકે જસદણ આટકોટ હાઇવે ઉપર આટકોટ નજીક હેલીપેડ ગ્રાઉન્ડની પાછળ ખાતમુર્હુત તથા શિલાન્યાસ સમારોહ ભવ્યતાથી યોજાશે.

આ પ્રસંગે સ્વામિનારાયણ ગુરૂકુળ રાજકોટ સંસ્થાના મહંત પૂજ્યદેવકૃષ્ણદાસજી સ્વામી તથા મહંત દેવપ્રસાદદાસજી સ્વામી તથા ભક્તિજીવનદાસજી સહિતના સંતો ઉપસ્થિત રહેશે. સુરત ગુરૂકુળના પૂજ્ય ધર્મવલ્લભદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ ગુરૂકુળનું નિર્માણ કાર્ય યોજાશે. 40 વીઘામાં નિર્માણ પામનાર આ ગુરૂકુળમાં હોસ્ટેલ વિભાગમાં 50 અદ્યતન રૂમ બનશે. સ્કૂલ વિભાગમાં 50 મોર્ડન ક્લાસરૂમ બનશે.

એ ઉપરાંત પ્રાર્થના હલ, કોમ્પ્યુટર લેબ, સ્ટાફ રૂમ, ક્રિકેટ ગ્રાઉન્ડ સહિતનું સ્પોર્ટ કોમ્પ્લેક્સની સ્ટાન્ડર્ડ સુવિધાઓ મળશે. આ ગુરૂકુળ ખાતે ધોરણ 1 થી 12 અંગ્રેજી મંડયમ તથા ગુજરાતી મીડીયમની અભ્યાસની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. વિદ્યા એટલે કે આધુનિક શિક્ષણ, સદવિદ્યા એટલે કે હિંદુ સંસ્કૃતિના મૂલ્યો તથા બ્રહ્મવિદ્યા એટલે કે મોક્ષમુલક સંસ્કારોના ત્રિવેણી સંગમ સમાન આ ગુરુકુલ નિર્માણના મુખ્ય ભૂમિદાતા વિપુલભાઈ સુળીયા (શ્રી હરિ નમકીન) ઉપસ્થિત રહેશે. ખાતમુર્હુત તથા શિલાન્યાસ ઉત્સવના યજમાન જયેશભાઈ પાંભર- લંડન તથા ધર્મનંદન ડાયમંડ સુરતના લાલજીભાઈ પટેલ, હરિ ગ્રુપ સુરતના રાકેશભાઈ દુધાત, કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા, શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરીયા, રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોશી  દિનેશ બાંભણિયા સહિતના સમગ્ર ગુજરાતભરમાંથી વિવિધ ઉદ્યોગપતિઓ, ડોક્ટરો, વકીલો, અગ્રણીઓ સહિતના મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહેશે. 

ભૂમિપૂજનમાં સ્વામિનારાયણ મહામંત્રના સાડા ત્રણ કરોડ મંત્રનું લેખન કરેલી બુક પાયામાં પધરાવવામાં આવશે. સમગ્ર મહોત્સવ ભવ્યતાથી ઉજવવા માટે જસદણના કૈલાશ નગર સ્વામિનારાયણ મંદિરના મહંત ધર્મનંદનસ્વામીના માર્ગદર્શન હેઠળ તડામાર તૈયારી ચાલી રહી છે. આ પ્રસંગે તારીખ   સવારે 9 વાગ્યા સુધી અખંડ ધૂન યોજાશે. જે જગ્યાએ ભવ્ય ગુરુકુળનું નિર્માણ થનાર છે.

તે ભૂમિને વિશેષ પાવન કરવા માટે તારીખ 28-4 થી તારીખ 30-4 સુધી ભક્ત ચિંતામણી યજ્ઞ યોજાશે. તા. 30-4ને બુધવારે સવારે 7-30 કલાકે 108 કાર તથા બાઈકની અતિ ભવ્ય શોભાયાત્રા યોજાશે. ભૂમિ પૂજન તથા શિલાન્યાસ સમારોહ સહિતના ધાર્મિક ઉપસ્થિત રહેવા જસદણ સ્વામિનારાયણ મંદિર ના સ્વામી ધર્મનંદનદાસજીએ અનુરોધ કર્યો છે

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj