ગોંડલ, તા.30
રામગરબાપુ ગૌસેવા ટ્રસ્ટ દ્વારા કાળઝાળ ગરમીમાં રાહત માટે પશુ પંખી માટે નિસુલ્ક પાણીની કુંડીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. પૃથ્વી ઉપર જેટલો હક્ક મનુષ્યનો છે તેટલોજ હક્ક પશુ પંખી જીવ જંતુ પ્રાણીઓનો પણ છે.
આવી કાળઝાળ ગરમીમાં પશુ પક્ષીઓના રાહત માટે ઘરની બહાર તેમજ અગાસી ઉપર નાની મોટી પાણી ભરી કુંડીઓ રાખવા જીવદયા પ્રેમી જયકરભાઈ જીવરાજાનીએ ગોંડલની જનતાને અપીલ કરી જણાવેલ છે કે ઘરની બહાર કે અગાસી ઉપર રાખવા માટે પાણીની કુંડી વિના મૂલ્યે આપવામાં આવશે.
પાણીની કુંડી મેળવવા માટે જયકરભાઈ જીવરાજાની (9978350001) કેતનભાઈ માંડલીયા(98250 11511) રાજૂભાઈ ખંધેડિયા (99250 04141) સંજયભાઈ પરમાર (98797 29453) જયદીપભાઈ પટેલ(98989 20005)નો સંપર્ક કરવા જણાવાયું છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy