અમદાવાદ,તા.17
એક દેશ એક કાનુનનાં ભાગરૂપે લાગુ થયેલા જીએસટી કાયદાની કેટલીક અટપટી જોગવાઈઓની વખતોવખત વિવાદના કિસ્સા સામે આવતા જ રહ્યા છે. આવા જ એક વિવાદીત કેસમાં ગુજરાત જીએસટી ઓથોરીટી ફોર એડવાન્સ રૂલીંગ દ્વારા એવો ચુકાદો આપવામાં આવ્યો છે કે વેપારી ઠગબાજોની ચૂંગાલમાં ફસાયો હોય તો પણ માલના વેચાણ પર જીએસટી ચુકવવો જ પડે.
જીએસટી વસુલાત વેચાણ પર નહીં પણ સપ્લાય પર આધારીત છે.એટલે વેપારીને વેચેલા માલનું પેમેન્ટ ન મળે અને છેતરપીંડી થાય તો પણ તેને સપ્લાય કરેલ માલ પર ટેકસ ચુકવવો પડે.
રાજકોટ સ્થિત સબ મર્સીબલ ઉત્પાદક એકયુબ એન્જીટેક કંપનીએ આસામ સ્થિત કંપની દ્વારા થયેલી છેતરપીંડીને આગળ ધરીને જીએસટી ચુકવવા મામલે ઓથોરીટી પાસેથી સ્પષ્ટતા માંગી હતી. 2023 માં કંપનીએ રૂા.14.51 કરોડની કિંમતનાં 5660 પંપ માતક ઓટોનોમસ કાઉન્સીલને મોકલ્યા હતા.
પછી એવુ માલુમ પડયુ કે બોગસ દસ્તાવેજોનાં આધારે આ વ્યવહાર કરાયો હતો. આ મામલે પોલીસ ફરિયાદ થઈ હતી.જીએસટીની જવાબદારી વિશે ઓથોરીટી પાસે જીએસટીની જવાબદારી વિશે ઓથોરીટી પાસે સ્પષ્ટતા માગવામાં આવી હતી. આઈજીએસટીની કલમ સાથે આગળ ધરવામાં આવી હતી.
ઓથોરીટીએ આપેલા ચુકાદામાં એમ કહ્યુ છે કે આઈજીએસટી કાયદાની કલમ 20 તથા સીજીએસટીની કલમ 12 હેઠળ કંપનીએ માલની સપ્લાય કરી છે. જીએસટી કાયદા મુજબ માનવ વપરાશના શરાબ સિવાયના માલ તથા સેવાની સપ્લાય પર ટેકસ લાગુ પડે છે.
માલની ફીઝીકલ ડીલીવરી થઈ છે ત્યારે બનાવટી ઓર્ડરનાં આધારે છેતરપીંડીની દલીલ લાગુ પડતી નથી. છેતરપીંડીની બાબત કરારમાં લાગુ પડે છે પરંતુ અરજદાર ‘સપ્લાય’માંથી બાકાત રહ્યા નથી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy