કાશ્મીર,તા.24
જમ્મુ અને કાશ્મીર સરકારે ચિનાર વૃક્ષો, તેનાં ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાને બચાવવા માટે જીઓ-ટેગિંગની પ્રક્રિયા શરૂ કરી છે. આ પહેલનો હેતુ ચિનાર વૃક્ષોની દેખરેખ અને સંરક્ષણને મજબૂત કરવાનો છે. જેથી તેમની સ્થિતિ વિશે સચોટ માહિતી એકત્ર કરી શકાય અને તેમનાં સંરક્ષણ માટે પગલાં લઈ શકાય.ગુરુવારે આ પ્રક્રિયા કાશ્મીરમાં ફોરેસ્ટ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટના વૈજ્ઞાનિક ડો.સૈયદ તારિક દ્વારા શરૂ કરવામાં આવી હતી. ડો. તારિકે જણાવ્યું કે ચિનાર વૃક્ષો ઓક્સિજન ઉત્પન્ન કરે છે અને તેની પોતાની ઇકોસિસ્ટમ છે. જે કાશ્મીરની ઇકોલોજીમાં મહત્વની ભૂમિકા ભજવે છે. આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય ચિનાર વૃક્ષો પર દેખરેખ રાખવાનો અને તેમને ડિજિટલ ઓળખ આપવાનો છે, જેથી દરેક વૃક્ષની સ્થિતિનો રેકોર્ડ જાળવી શકાય.
જિયો-ટેગિંગ હેઠળ, દરેક ચિનાર વૃક્ષને એક અનન્ય આધાર નંબર આપવામાં આવ્યો છે.જે ડિજિટલ ઈન્ડિયાની તકનીકી પહેલ સાથે સંબંધિત છે. અત્યાર સુધીમાં, 28560 ચિનાર વૃક્ષોને જીઓ-ટેગ કરવામાં આવ્યાં છે અને તેમની ભૌતિક લાક્ષણિકતાઓ એકત્રિત કરવામાં આવી છે. આ વૃક્ષો ક્યુઆર કોડથી લોક છે, જ્યારે સ્કેન કરવામાં આવે છે, ત્યારે વપરાશકર્તાઓ તે વૃક્ષ વિશે સંપૂર્ણ માહિતી મેળવી શકે છે.
વન વિભાગે સેવ ચિનાર ઝુંબેશ હેઠળ આ પહેલને વધુ પ્રોત્સાહન આપવાનું આયોજન કર્યું છે. જેનાં દ્વારા ચિનાર વૃક્ષોનાં સંરક્ષણ માટે ડેટાબેંક તૈયાર કરવામાં આવશે. ડો.તારીકે કહ્યું કે આ એક સકારાત્મક પગલું છે અને ટૂંક સમયમાં આ ડેટાને પબ્લિક ડોમેનમાં લાવવામાં આવશે. જેનાં કારણે દરેક વ્યક્તિ ચિનારના વૃક્ષોનાં મહત્વ અને તેની કાળજી વિશે જાગૃત થઈ શકે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy