(વિપુલ હિરાણી) ભાવનગર, તા.9
પાલિતાણામાં આવેલ શાશ્વત ગિરીરાજની તળેટી ઉપર કચ્છી દિશા ઓસ્વાલ જ્ઞાતિના કચ્છનળિયા હાલ મારુંગા-મુંબઈના રહેવાસી ગોવિંદજી જેવત ખોનાના સ્વદ્રવ્ય નિર્મિત સ્વમાલીકીનું ધર્મનાથ પ્રભુના જીનાલયની 1969માં પૂ. આચાર્ય રામચંદ્ર સુરિશ્વરજી મહારાજાના હસ્તે પરિકર સાથે પ્રતિષ્ઠા થયેલ જેમાં કુટુંબના સભ્યોએ મળી કુલ 11 પ્રતિમાઓ પ્રતિષ્ઠિત કરેલ તે ઉપરાંત 1993માં પૂ. આશ્રી રામચંદ્રસુરી મહારાજા સાહેબની ગુરુમુર્તિનીતળેટીથી દર્શન થાય તેમ પ્રતિષ્ઠા થયેલ.
બાબુ ધનપતસિંહ પાસેથી જગ્યા પ્રામ કરીને મકરાણા સંગેમેરમરનું દેરાસરમાં મુંબઈથી ખંભાત અને ખંભાતથી પાલીતાણાનો પૂ.આ.શ્રી રામચંદ્રસુરી મહારાજાની નિશ્રામાં દાયકાનો છેરીપાલીત મોટો સંઘ 1969માં પ્રતિષ્ઠા અનેતળેટી ઉપર વૈશાખ શુદ-7, 1969માં પ્રતિષ્ઠા પ્રભુજીની કરેલ. પાલિતાણામાં દર વર્ષની જેમ તા. 3ના રોજ 56મી સાલગીરીની ઉજવણી ગોવિંદજી જેવત ખોના પરિવારે કરી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy