(જીગ્નેશ ભટ્ટ) મોરબી, તા.9
કોઈપણ વિદ્યાર્થી ધો. 12 પાસ કરે એટલે તેના વાલીઓને હવે મારા સંતાનને કઈ વિદ્યાશાખા એટલે કે અભ્યાસક્રમમાં આગળ વધવું તે પ્રશ્ર્ન થતો હોય છે ત્યાર બાદ કોલેજ પસંદગી, વિષય પસંદગી આવા અનેક પ્રશ્ર્નો મૂંઝવતા હોય છે આ પ્રશ્નોના નિરાકરણ માટે શ્રીમતી જી.જે. શેઠ કોમર્સ કોલેજ ભડીયાદ રોડ, નજરબાગ રેલવે સ્ટેશનની પાસે મોરબી ખાતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા નિયુક્ત સ્ટાફ ઉપલબ્ધ છે.
શિક્ષણ વિભાગ ગુજરાત સરકાર દ્વારા ગત વર્ષની જેમ આ વર્ષે પણ ઉચ્ચ અભ્યાસ માટે વિદ્યાર્થીઓએ ૠઈઅજ પોર્ટલ ઉપર માત્ર એક જ ફોર્મ ભરવાનું છે એક જ ફોર્મથી ગુજરાતની 15 સરકારી યુનિવર્સીટીની વિવિધ કોલેજોમાં વિવિધ કોર્સમાં પ્રવેશ મળી શકે છે આ પોર્ટલ ઉપર જી.જે.શેઠ કોમર્સ કોલેજ દ્વારા વિનામૂલ્યે રજીસ્ટ્રેશન અને પ્રવેશ ફોર્મ ભરી આપવામાં આવશે.
આ ઉપરાંત મોરબી જિલ્લાના ધો. 12 પાસ થયેલા વિધ્યાર્થીઓને જિલ્લામાં પ્રવેશ મળી જશે એટલે ખોટી ઉતાવળ કરવી નહીં. અને ખાસ કરીને કોલેજની ભૌતિક સગવડો, કોલેજમાં ઉપલબ્ધ સ્ટાફની સંખ્યા અને તેની શૈક્ષણિક લાયકાતો, ફી નું માળખું વગેરે બાબતોની યોગ્ય તપાસ કર્યા બાદ જ કોલેજની પસંદગી કરવાની જરૂર છે. જેના માટેની વિશેષ માહિતી કે માર્ગદર્શન જો કોઈને જોઈતું હોય તો તે હેલ્પ સેન્ટર શ્રીમતી જી.જે. શેઠ કોમર્સ કોલેજ મોરબી ખાતેથી મળી જશે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy