નવી દિલ્હી : લસણને સામાન્ય રીતે રસોડામાં મસાલા તરીકે ઉપયોગમાં લેવાય છે. પરંતુ, તે એક ફાયદાકારક ઔષધી પણ છે, જે માત્ર ખોરાકનો સ્વાદ જ નથી વધારતું પણ આરોગ્ય માટે પણ ખૂબ સારું છે.
પ્રાચીન સમયથી, તેનો ઉપયોગ આયુર્વેદ અને પરંપરાગત તબીબી પદ્ધતિઓમાં દવા તરીકે કરવામાં આવે છે. લસણમાં ઘણાં પ્રકારનાં પોષક તત્વો હોય છે, જેમ કે વિટામિન-સી, બી 6, મેંગેનીઝ અને એલિસિન જે એન્ટી ઓક્સિડેન્ટ્સ અને એન્ટી-બેક્ટેરિયલ ગુણધર્મો પ્રદાન કરે છે.
રોગપ્રતિકારક શક્તિ વધારે છે :-
વારંવાર શરદી અને ચેપ વિશે ચિંતિત છો ? કાચા લસણમાં મજબૂત એન્ટીબેક્ટેરિયલ અને એન્ટિવાયરલ ગુણધર્મો છે જે તમારાં શરીરને બીમારીઓ સામે લડવામાં મદદ કરે છે. 2015 માં કરવામાં આવેલ એક અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે કાચું લસણ આપણી રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે.
તેમાં એલિસિન છે જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે અને હાનિકારક બેક્ટેરિયાને દુર રાખે છે. નિયમિતપણે લસણનો ઉપયોગ શરદી, ઉધરસ અને ચેપી રોગ સામે રક્ષણ આપી શકે છે.
હૃદયનાં આરોગ્ય માટે સારું છે અને બ્લડ પ્રેશર ઘટાડે છે :-
હાઈ બ્લડ પ્રેશર એક સાયલન્ટ કિલર છે, અને કાચું લસણ તેને નિયંત્રણમાં રાખવામાં મદદ કરી શકે છે. અધ્યયનો દર્શાવે છે કે લસણ રક્ત વાહિનીઓને આરામ આપે છે અને રક્ત પરિભ્રમણમાં સુધારો કરે છે, હૃદય રોગનાં જોખમને ઘટાડે છે.
2020 નો અભ્યાસ બતાવે છે કે લસણ હૃદયને લગતી સમસ્યાઓ અટકાવવામાં મદદરૂપ થઈ શકે છે. તે ખરાબ કોલેસ્ટરોલને પણ ઘટાડે છે જ્યારે સારાં કોલેસ્ટરોલને વધારે છે, એકંદર હૃદયનાં આરોગ્ય માટે લસણ ખૂબ ફાયદાકારક છે.
શરીરને કુદરતી રીતે શુદ્ધ કરે છે :-
આપણું શરીર સતત ખોરાક, પ્રદૂષણ અને અન્ય સ્રોતોમાંથી ઝેરી તત્વોના સંપર્કમાં આવે છે. કાચું લસણ હાનિકારક પદાર્થોને શરીરમાંથી દુર કરીને તમારાં યકૃતને શુદ્ધ કરવામાં મદદ કરે છે. લસણમાં અમુક સંયોજનો સલ્ફર જેવાં હોય છે જે ભારે ધાતુનાં ઝેરીલા તત્વો સામે રક્ષણ આપી યકૃત અને કિડની જેવાં અવયવોના નુકસાનને ઘટાડે છે.
પાચનમાં મદદ કરે છે અને આંતરડાનાં સ્વાસ્થ્ય માટે સારું છે :-
તંદુરસ્ત આંતરડા એ એકંદર સુખાકારીની ચાવી છે, અને પાચન સુધારવામાં લસણ નિર્ણાયક ભૂમિકા ભજવે છે. તે પાચક ઉત્સેચકોના ઉત્પાદનને ઉત્તેજિત કરે છે, તમારાં શરીરને વધુ અસરકારક રીતે ખોરાકને તોડવામાં મદદ કરે છે. ઉપરાંત, તેનાં એન્ટીબેક્ટેરિયલ ગુણધર્મો સારાં બેક્ટેરિયાના વિકાસને પ્રોત્સાહન આપતી વખતે હાનિકારક આંતરડાનાં બેક્ટેરિયાને દુર કરે છે.
કેન્સરનું જોખમ ઘટાડે છે :-
લસણમાં એન્ટી ઓકિસડન્ટો હોય છે જે મુક્ત રેડિકલ્સ સામે લડતાં હોય છે, જે સેલ નુકસાન અને વૃદ્ધત્વ માટે જવાબદાર છે. સંશોધન સૂચવે છે કે કાચા લસણનો નિયમિત વપરાશ સેલ પરિવર્તનને અટકાવીને અને ગાંઠની વૃદ્ધિને ધીમું કરીને પેટ અને કોલોરેક્ટલ કેન્સર સહિતનાં કેટલાક કેન્સરનું જોખમ ઘટાડી શકે છે.
ખરાબ સ્વાદ વિના કાચું લસણ કેવી રીતે ખાઈ શકાય ?
:- લસણને ખાતાં પહેલાં કાપી અથવા કચડીને 10 મિનિટ રહેવા દો તેનાથી એલિસિન સામગ્રીને સક્રિય થાય છે.
:- લસણના સ્વાદને સંતુલિત કરવા માટે તેને મધ સાથે પણ ખાઈ શકાય છે.
:- સારા સ્વાદ માટે લસણને કચુંબરમાં અથવા સલાડમાં ઉમેરી શકાય છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy