બદાયુ (ઉત્તરપ્રદેશ) તા.3
બદાયુની જામા મસ્જિદમાં નીલકંઠ મંદિર હોવાનો હિન્દુ સંગઠનના દાવાને લઈને આજે બદાયુ કોર્ટે સુનાવણીને ટાળી હતી અને વધુ સુનાવણી 10 ડિસેમ્બરે થશે.
દેશમાં એક પછી એક મસ્જિદ-દરગાહમાં મંદિર હોવાના હિન્દુ સંગઠનો દાવા થઈ રહ્યા છે. અગાઉ સંભલની જામા મસ્જિદમાં આવા દાવાને લઈને સર્વે દરમિયાન હિંસા ભડકી હતી અને કેટલાક લોકોના મોત થયા હતા.
ત્યારબાદ અજમેરની પણ દરગાહમાં મંદિર હોવાનો દાવો થયો હતો. ત્યારબાદ બદાયુમાં જામા મસ્જિદમાં નીલકંઠ મહાદેવ મંદિર હોવાનો દાવો થયો હતો. આ મામલે આજે બદાયુની કોર્ટે સુનાવણી ટાળી હતી અને વધુ સુનાવણી માટે 10 ડિસેમ્બરની તારીખ જાહેર કરી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy