રાજકોટ,તા.19
ગુજરાતમાં ભાજપે સ્થાનિક ચૂંટણીઓમાં જે સપાટો બોલાવ્યો છે તેમાં સૌરાષ્ટ્રમાં ત્રણ નગરપાલીકાએ સોનાની ખાળમાં લોઢાની મેખ જેવી બની રહી છે જેમાં કુતિયાણા અને રાણાવાવની નગરપાલિકામાં ભાજપના અને ખાસ કરીને રાણાવાવમાં ઢેલીબેન ઓડેદરાના 30 વર્ષના શાસનનો અંત આવ્યો છે.
અહી નગરપાલીકામાં 24 સીટમાંથી 14 સમાજવાદી પક્ષ અથવા તો કહો કે કાંધલ જાડેજાને મળી છે જયારે ભાજપને 10 બેઠક મળી છે. જો કે આ ચુંટણીમાં ભાજપ અને કાંધલ જાડેજાનું ફીકસીંગ હોવાનું પણ ચર્ચામાં છે.
ખાસ કરીને ઢેલીબેન ઓડેદરાનું જે એકચક્રી શાસન હતું તેમાં કાંધલ જાડેજાએ જે રીતે બંને નગરપાલીકા કબ્જે કરી તે પછી પણ ભાજપને સમર્થન જાહેર કર્યુ છે. તેણે એક વિધાનમાં કહ્યું કે કુતિયાણાની જનતાને વિકાસનો લાભ મળે તે માટે મારા નાના ભાઈ કાના જાડેજાને મેદાનમાં ઉતારવા પડયા અને તેને ભાજપ સાથે કોઈ વાંધો નહી હોવાનું અને સરકારના પણ વખાણ કર્યા હતા.
કહ્યું કે હું ભાજપ સરકારના માર્ગદર્શન હેઠળ કામ કરુ છું. તેણે ઢેલીબેન પર ભ્રષ્ટાચારના આરોપ મુકયા અને કટ્ટી કરવાની પણ કંઈક લીમીટ હોય છે આ નિવેદનથી પોરબંદર પંથકમાં નવી ચર્ચા શરૂ થઈ છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy