રાજકોટ,તા.25
પહેલગામમાં આતંકવાદી હુમલાને પગલે ભારતના પાકિસ્તાન તરફ આક્રમક વલણ અને સરહદે ગોળીબારના ઘટનાક્રમથી શેરબજાર પણ ટેન્શનમાં આવી ગયુ હોય તેમ ઈન્ટ્રા-ડે 1000 પોઈન્ટ જેટલુ ધસી ગયુ હતું. જો કે, બપોરે 600 પોઈન્ટનો ઘટાડો સુચવતુ હતું.
અમેરિકાના ટેરીફ- ટ્રેડવોરમાંથી માંડ મુક્ત થઈને તેજીના માર્ગે ચડેલા શેરબજારોમાં આજે ભારત-પાકિસ્તાન વચ્ચેના તનાવનો પ્રત્યાઘાત વર્તાયો હતો. નફારૂપી વેચવાલીના દબાણ હેઠળ ગાબડુ પડયુ હતું.
ભારત ત્રાસવાદ સામે બદલો કેવી રીતે લેશે? તે મુદે અનેકવિધ અટકળો વચ્ચે સાવચેતી ઉભી થઈ હતી. વિદેશી નાણાં સંસ્થાઓની લેવાલી સહિતના પોઝીટીવ કારણો ડીસ્કાઉન્ટ થઈ ગયા હતા.
મુંબઈ શેરબજારનો સેન્સીટીવ ઈન્ડેકસ 685 પોઈન્ટના કડાકાથી 79116 સાંપડયો હતો. તે ઉંચામાં 80130 તથા નીચામાં 78605 થયો હતો. નેશનલ સ્ટોક એકસચેંજમાં નિફટી 241 પોઈન્ટ ગગડીને 23995 હતો તે ઉંચામાં 24365 તથા નીચામાં 23847 હતો. મીડકેપ નિફટીમાં 1500 પોઈન્ટ ગગડીને 53443 હતો.
શેરબજારમાં આજે અદાણી પોર્ટ, એકસીસ બેંક, બજાજ ફાઈનાન્સ, ભારતી એરટેલ, આઈસીઆઈસીઆઈ બેંક, કોટક બેંક, લાર્સન, મહીન્દ્ર, મારૂતી, એનટીપીસી, પાવરગ્રીડ, સ્ટેટ બેંક, ટાટા મોટર્સ, ટાટા સ્ટીલ, શ્રીરામ ફાઈનાન્સ, અદાણી એન્ટરપ્રાઈઝ ગગડયા હતા. ઈન્ડુસઈન્ડ બેંક, ઈન્ફોસીસ, ટીસીએસ, ટેક મહીન્દ્ર મજબૂત હતા.
ખાદ્યતેલોમાં મંદી અટકી: તમામમાં રૂા.10-10 વધ્યા
ખાદ્યતેલોમાં કેટલાક દિવસોથી પ્રવર્તતી એકધારી મંદીને આજે બ્રેક લાગી હતી અને પ્રત્યાઘાતી ભાવવધારો હતો. નીચા ભાવે વેચવાલી અટકયાનો પ્રત્યાઘાત હતો. વૈશ્વિક બજારો સુધરતા રાહત હતી.
સીંગતેલ નવા ડબ્બાનો ભાવ 10 રૂપિયા વધીને 2265 થી 2315, કપાસીયા તેલ ડબ્બો 10 વધીને 2200 થી 2250 તથા પામોલીન ડબ્બો 10ના સુધારાથી 2035 થી 2040 હતા.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy