ભારતીય T20 ટીમમાં કે.એલ. રાહુલે વિકેટ કીપિંગની સાથે ચોથા ક્રમે બેટિંગ કરવી જોઇએ : કેવિન પીટરસન

India, Sports | 29 April, 2025 | 11:03 AM
સાંજ સમાચાર

ભારતીય વિકેટકીપર-બેટર કે. એલ. રાહુલની ક્રિકેટ-કરીઅરમાં તેના બેટિંગ ક્રમ વિશે છેલ્લા કેટલાક સમયથી ચર્ચા થતી આવી છે. વર્તમાન IPL સીઝનમાં આઠ મેચમાં ત્રણ ફિફ્ટીની મદદથી 364 રન ફટકારી કે. એલ. રાહુલે શાનદાર પ્રદર્શન કર્યું છે.

કોઈ પણ ક્રમે બેટિંગ કરવાની ક્ષમતા ધરાવતા આ ક્રિકેટરને તેના દિલ્હી કેપિટલ્સના મેન્ટર અને ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ ક્રિકેટર કેવિન પીટરસને કેટલાંક સલાહ-સૂચન આપ્યાં છે.પીટરસને એક પ્રેસ-કોન્ફરન્સમાં કહ્યું, ‘હું (કોચ હોઉં તો) ઝ20 ક્રિકેટમાં ભારત માટે કે. એલ. રાહુલને ચૌથા નંબર પર બેટિંગ કરાવું.

મને લાગે છે કે ટીમ પાસે થણા બધા ઓપનર છે. રાહુલ જે રીતે હવે ક્રિકેટ રમી રહ્યો છે એથી ચોથા નંબર પર બેટિંગ કરવા અને ભારત માટે વિકેટકીપિંગ કરવા માટે મારી પહેલી પસંદગી હશે.

એક સારો પ્લેયર બનવા માટે, તમારે દરેક ફોર્મેટ અનુસારતમારી રમત સતત વિકસાવવી પડશે. ચોક્કસ ઉંમરે પહોંચ્યા પછી એ ખૂબ મુશ્કેલ છે, પરંતુ રાહુલે પોતાને બદલી નાખ્યો છે.44 વર્ષના પીટરસને દિલ્હી ટુર્નામેન્ટમાં શાનદાર વાપસી કરશે એવી આશા પણ વ્યક્ત કરી હતી.

T20 ઇન્ટરનેશનલમાં અલગ-અલગ બેટિંગ પોઝિશન પર રાહુલનું પ્રદર્શન

પહેલા ક્રમે 1178 રન
બીજા ક્રમે 684 રન
ત્રીજા ક્રમે 265 રન
ચોથા ક્રમે 174 રન

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj