નવી દિલ્હી : દિલ્હીનાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે જાહેરાત કરી હતી કે જો 2025ની વિધાનસભા ચૂંટણી પછી સત્તારૂઢ આમ આદમી પાર્ટી ત્રીજી વખત સત્તામાં આવશે, તો 18 વર્ષથી વધુ ઉંમરની દરેક મહિલાનાં ખાતામાં 2100 રૂપિયા જમા કરવામાં આવશે.
જો કે, તેમણે જણાવ્યું હતું કે આવતીકાલથી નોંધણી શરૂ થવા છતાં, રકમ તાત્કાલિક જમા કરવામાં આવશે નહીં. કારણ કે આગામી 10 થી 15 દિવસમાં ચૂંટણીની તારીખ જાહેર થવાની છે. તેમણે મુખ્યમંત્રી આતિશી સાથે મહિલા સન્માન યોજના કાર્યક્રમમાં કહ્યું, ’મેં પહેલાં દરેક મહિલાને 1000 રૂપિયા આપવાનું વચન આપ્યું હતું. પરંતુ કેટલીક મહિલાઓ મારી પાસે આવી અને કહ્યું કે મોંઘવારીને કારણે 1000 રૂપિયા પૂરતાં નથી.
તેથી તમામ મહિલાઓનાં ખાતામાં 2100 રૂપિયા જમા કરવામાં આવશે તેમણે કહ્યું, ’આજે સવારે આતિષીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં આ પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો, ત્યારબાદ આ યોજના લાગું કરવામાં આવી છે.’
આ વર્ષે માર્ચમાં, તત્કાલીન કેજરીવાલની આગેવાની હેઠળની દિલ્હી સરકારે મુખ્યમંત્રી સન્માન યોજના હેઠળ રાષ્ટ્રીય રાજધાનીમાં 18 વર્ષથી વધુ ઉંમરની તમામ મહિલાઓને દર મહિને 1000 રૂપિયા આપવાની જાહેરાત કરી હતી.
દિલ્હીની આ પહેલ મધ્યપ્રદેશની લાડલી બેહના યોજના જેવી જ છે, જેનાં હેઠળ નીચલા અને મધ્યમ વર્ગનાં ઘરોની મહિલાઓને તેમનાં ખાતામાં દર મહિને 1000 રૂપિયા મોકલવામાં આવે છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy