ખંભાળિયા: આરબીઆઈમાં રૂ. 48 હજાર કરોડ હોવાના નામે ઘડેલા પ્રકરણમાં સંડોવાયેલા બંને આરોપીઓ જેલ હવાલે

Local | Jamnagar | 13 December, 2024 | 03:07 PM
એસ.ઓ.જી. પોલીસ દ્વારા સધન તપાસ જારી: અન્ય શખ્સોની સંડોવણીની પણ શક્યતા
સાંજ સમાચાર

જામ ખંભાળિયા, તા. 13
દેવભૂમિ દ્વારકા જિલ્લા સાથે સમગ્ર રાજ્યમાં અતિ ચર્ચાસ્પદ બની ગયેલા ખંભાળિયા પંથકમાં રૂપિયા 48 હજાર કરોડની રકમ ફ્રીઝ થયાના સમગ્ર પ્રકરણમાં એસ.ઓ.જી. પોલીસે તાકીદની કાર્યવાહી કરી, આરોપીઓને ઝડપી લેવાની નોંધપાત્ર કામગીરી કરી હતી. આ પ્રકરણના આરોપીઓને જેલ હવાલે કરી દેવામાં આવ્યા છે.

વર્તમાન સમયમાં થતી નવતર ઠગાઈ સંદર્ભેના આ પ્રકરણની ચર્ચાસ્પદ બની ગયેલી વિગતમાં ખંભાળિયા પંથકના એક શખ્સ દ્વારા રાજકોટના શખ્સની મીલી ભગત આચરીને તેના રૂ. 48,000 કરોડ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયામાં જમા થયા છે અને આ રકમ રિલીઝ કરવા માટે પાંચ ટકા લેખે રૂ. 2,400 કરોડનો ટેક્સ ભરવાનો થતો હોવા અંગેના ફર્જી ડોક્યુમેન્ટસ તૈયાર કરાવવામાં આવ્યા હતા.

આ સમગ્ર પ્રકરણ દેવભૂમિ દ્વારકા જિલ્લા એસ.ઓ.જી. વિભાગને આવતા પી.આઈ. સીંગરખીયાના માર્ગદર્શન હેઠળ સ્ટાફ દ્વારા તાકીદની કાર્યવાહી કરી, અને આ પ્રકરણમાં સંડોવાયેલા ખંભાળિયા તાલુકાના વચલા બારા ગામના મૂળ રહીશ અને રાજકોટ ખાતે રહેતા ઋતુરાજસિંહ ઉર્ફે ઋતુ અજીતસિંહ સોઢા (ઉ.વ. 21) અને રાજકોટમાં નાગેશ્ર્વર રોડ વિસ્તારમાં રહેતા માધવ કિરણકુમાર પ્રતાપરાય વ્યાસ (ઉ.વ. 24) ને દબોચી લીધા હતા. ઝડપાયેલા આ બંને આરોપીઓને પોલીસે અહીંની અદાલતમાં રજૂ કરતા નામદાર અદાલતે આરોપીઓને જેલ હવાલે કરવાનો હુકમ કર્યો છે. 

આરોપીઓ દ્વારા વ્યાપક પ્રમાણમાં બનાવટી દસ્તાવેજો તૈયાર કરાવી અને ટેક્સ ભરવાની રકમના હેતુથી ફંડિંગ મેળવવા માટે પૈસા આપી શકે તેવા આસામીઓની શોધ કરવામાં આવી રહી હતી. જો કે મોટી રકમનું કમિશન મેળવવાની લાલચમાં આ કૌભાંડનો કોઈ લોકો શિકાર બને તે પહેલા પોલીસે આરોપીઓને દબોચી લીધા હતા. આ કૌભાંડમાં અન્ય એક શખ્સનું નામ પણ ખુલવા પામ્યું છે.

આ સમગ્ર પ્રકરણમાં અન્ય શખ્સો પણ સંડોવાયેલા હોવાની પૂરી શક્યતા વચ્ચે એસ.ઓ.જી. સ્ટાફ દ્વારા વધુ તપાસ કામગીરી કરવામાં આવી હતી. જેમાં પીઆઈ પ્રશાંત સીંગરખીયા સાથે સ્ટાફના હરદેવસિંહ જાડેજા, હરદીપસિંહ જાડેજા, નરેન્દ્રસિંહ રાઠોડ, નિર્મલભાઈ આંબલીયા, વિજયસિંહ જાડેજા અને સ્વરૂપસિંહ જાડેજા દ્વારા જરૂરી કાર્યવાહી કરવામાં આવી રહી છે.  (તસ્વીર : કુંજન રાડીયા)

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj