(ધર્મેશ કલ્યાણી દ્વારા),જસદણ, તા.29
જસદણ પંથકના જાહેરજીવનના લોકસેવક અશોકભાઈ મહેતાનું તાજેતરમાં હાર્ટ એટેકથી અવસાન થતાં સાંસદ રૂપાલાજી સદગત અશોકભાઈને અંજલી આપવા જસદણ આવ્યા હતા.
પૂર્વ કેન્દ્રીય મંત્રી અને રાજકોટના સાંસદ પુરષોતમભાઈ રૂપાલા જસદણ ખાતે આવ્યા હતા અને અશોકભાઈ મહેતાના ઘરે પહોંચ્યા હતા. તેમણે અશોકભાઈ મહેતાના ફોટા સમક્ષ પુષ્પાંજલિ અર્પણ કરીને ભાજપના એક સાચા અગ્રણી ગુમાવ્યાનું દુ:ખ વ્યક્ત કર્યું હતું.
પરસોત્તમભાઈ રૂપાલાએ સદગત અશોકભાઈ મહેતા સાથેના જુદા જુદા સંસ્મરણો મહેતા પરિવાર સમક્ષ વ્યક્ત કર્યા હતા અને વિવિધ સામાજિક શૈક્ષણિક સંસ્થાઓ તથા પક્ષની કેટલી ચિંતા કરતા હતા તેની વાત રજૂ કરી હતી. મુકુલભાઈ મહેતા, વિરલભાઈ મહેતા સહિતના મહેતા પરિવારના પરિવારજનોને પરસોત્તમભાઈ રૂપાલાએ સાંત્વના પાઠવી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy