મુંબઈ તા.23
બોલીવુડ એકટર સૈફ અલી ખાન બાંગ્લાદેશી શખ્સના હુમલા બાદ હોસ્પિટલેથી સ્વસ્થ થઈને ઘેર આવેલા સૈફ અલી ખાનને લઈને રાજકીય નિવેદનબાજી થઈ રહી છે.
સૈફની પાંચ દિ’માં ફિટનેસ જોઈને સવાલ ઉઠાવતા નેતા સંજય નિરૂપમ બાદ હવે મહારાષ્ટ્રની મહાયુતિ સરકારના મંત્રી નિતેષ રાણેએ વિવાદાસ્પદ ટિપ્પણી કરી છે તેમણે જણાવ્યું હતું કે જયારે સૈફ અલી ખાન હોસ્પિટલેથી બહાર આવ્યો ત્યારે મને શંકા થઈ હતી કે ખરેખર સૈફને ચાકૂ મારવામાં આવ્યું હતું? કારણ કે હોસ્પિટલથી બહાર આવ્યા બાદ તે શાહરુખખાનની જેમ નાચી રહ્યો હતો. આટલેથી ન અટકતા રાણે ટિપ્પણી કરવામાં ભાન ભુલ્યા હતા.
તેમણે કહ્યું હતું કે જુઓ બાંગ્લાદેશીઓ મુંબઈમાં શું કરી રહ્યા છે તેઓ સૈફ અલી ખાનના ઘરમાં ઘુસી ગયા. પહેલા તેઓ રસ્તાઓ ચોકો પર ઉભા રહેતા હતા, હવે તે ઘરમાં ઘુસવા લાગ્યા છે. બની શકે કે તે તેમને (સૈફને) લઈ જવા માટે આવ્યા હોય, આ સારું છે, તેમનું કવચ હટાવી દેવામાં આવે.
વધુમાં રાણેએ કહ્યું હતું કે કયારેક શાહરુખખાન કે સૈફ અલી ખાનને ઈજા થાય છે તો લોકો વાત કરવી શરૂ કરી દે છે પણ જયારે સુશાંતસિંહ રાજપૂત જેવા હિન્દુ અભિનેતા પર અત્યાચાર થાય છે તો કોઈ નથી બોલતું.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy