(વિપુલ હિરાણી) ભાવનગર,તા.30
ભાવનગરના એસ.ટી.બસ સ્ટેન્ડ પાસે ગત રાત્રિના સમયે મહુવા પંથકના યુવાન અને સગીરાએ સજોડે વિષપાન કરી લેતા બંનેને સારવાર અર્થે સર ટી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
પ્રાપ્ત વિગત અનુસાર ભાવનગરના એસ.ટી.બસ સ્ટેન્ડ પાસે ગત રાત્રિના 9 વાગ્યાના અરસામાં મહુવા તાલુકાના તાવેરા ગામના યુવાન રાજદીપ વલકુભાઈ સીઢા (ઉં.વ.19) અને મહુવાના નેસવડ ગામમાં રહેતી 17 વર્ષીય સગીરાએ કોઈ કારણોસર સજોડે વિષપાન કરી લેતા બંનેને સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ મારફત સારવાર અર્થે સર ટી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
જ્યાં બન્નેની હાલત સ્થિર હોવાનું અને બન્ને વચ્ચે પ્રેમ સંબંધ હોવાનું જાણવા મળેલ છે. આ અંગે હોસ્પિટલ પોલીસે નોંધ કરી સંબંધિત પોલીસ મથકે જાણ કરી છે.આ ઘટનાની જાણ થતા બન્નેના પરિવારજનો પણ ભાવનગર દોડી આવ્યા હતા.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy