રાજકોટ સહિત રાજયમાં નવી જંત્રી સામે 7 હજારથી વધુ વાંધા અરજીઓ

Gujarat | Rajkot | 20 January, 2025 | 04:22 PM
આજે વાંધા અરજી રજૂ કરવાનો અંતિમ દિવસ : હવે કલેકટરના વડપણ હેઠળની ખાસ કમીટી દ્વારા સમીક્ષાની કામગીરી થશે
સાંજ સમાચાર

રાજકોટ, તા. 20
નવી જંત્રી સામે વાંધા અરજી રજૂ કરવાનો આજે અંતિમ દિવસ હોય, રાજકોટ સહિત રાજયભરમાંથી અત્યાર સુધીમાં  7 હજારથી વધુ વાંધા અરજીઓ થવા પામી છે. જેમાં કેટલીક અરજીઓ ઓનલાઇન સબમીટ થવા પામી છે. અહીં એ ઉલ્લેખનીય છે કે નવી જંત્રી સામે વિરોધનો વંટોળ ઉઠવા પામ્યા બાદ રાજય સરકાર દ્વારા જિલ્લા કક્ષાએ કલેકટરના વડપણ હેઠળ આ માટે ખાસ  કમીટીની રચનાઓ કરવામાં આવી છે. 

આ કમીટી દ્વારા વાંધા અરજીઓની સમીક્ષા કર્યા બાદ આ બાબતે રાજય સરકારમાં રીપોર્ટ કરવામાં આવનાર છે.  જંત્રીદરના મુદ્દે આખરી નિર્ણય રાજય સરકાર દ્વારા જ કરવામાં આવશે. નવી જંત્રીના દરોમાં વિસંગતતા રહ્યાની ફરિયાદો ઉઠવા પામી હતી.

આ બાબતે બિલ્ડરો તેમજ રેવન્યુ બાર એસો. દ્વારા કલેકટર અને રાજય સરકારને રજૂઆત કરવામાં આવ્યા બાદ  નવા જંત્રી દર સામે રાજય સરકાર દ્વારા ગત તા. 2 જાન્યુઆરીના જંત્રી સુધારણા કમીટીની રચના કરવામાં આવી છે. નવા જંત્રી દરના જો અમલ કરવામાં આવશે તો મકાનોની કિંમતમાં 30 થી 3પ ટકાનો વધારો થવાની શકયતા વ્યકત કરવામાં આવી છે. 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj