ઈસ્લામાબાદ તા.9
પાકિસ્તાન પર ભારતના પ્રચંડ પ્રહાર વચ્ચે પાક સૈન્યમાં બળવો થયાનું અને સૈન્ય વડા અસીમ મુનિરને કેદ કરી લેવાયાના રીપોર્ટ જાહેર થયા છે. તેમના સ્થાને શમશાદ મિર્ઝાને સૈન્ય વડા બનાવી દેવાયા છે.
સૈન્ય વડા મુનિરે અંગત બદલા માટે પાકિસ્તાનને પતનના માર્ગે ધકેલી દીધુ હોવાના ઉહાપોહ વચ્ચે તેમને પદ પરથી ખદેડીને કેદ કરી લેવામાં આવ્યા છે અને શમશાદ મિર્ઝાએ પદભાર પણ સંભાળી લીધો હોવાનું બહાર આવ્યું છે.
પાક સરકાર કે સૈન્ય તરફથી કો.ઈ નિવેદન કરવામાં આવ્યું ન હતું અને પરિસ્થિતિ અસ્પષ્ટ જ બની રહી છે સોશ્યલ મિડિયામાં આ પ્રકારનાં મેસેજ વાઈરલ બન્યા હતા.
એવી પણ ચર્ચા છે કે ભારતનાં પ્રચંડ પ્રહાર વચ્ચે પાકિસ્તાનનાં અનેક કોલોનલ મેજર, કેપ્ટન, કક્ષાના અધિકારીઓએ રાજીનામાં ધરી દીધા હતા,.મુનિરથી કંટાળીને આ રાજીનામું ધરી દેવામાં આવ્યું છે. અધિકારીઓ સહિતના મહાનુભાવોનુ પાકિસ્તાનમાંથી પલાયન શરૂ થયાનું અને એરપોર્ટ પર જબરી ભીડ હોવાનું પણ કહેવાય છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy