રાજકોટ, તા.13
આ કિસ્સાની ટુંકમાં વિગત એવી છે કે, ફરિયાદી વાંકાનેરમાં જયચંદ્ર ચત્રભુજ મેધાણી કપાસીયા વેચવાનો વ્યવસાય કરતા હતા. શિવ ઈન્ડસ્ટ્રીઝના પ્રોપ્રાઈટર આરોપી નયનાબેન રમેશચંદ્ર જાવિયાએ ફરીયાદી પાસેથી કપાસીયાની ઉધારમાં ખરીદી કરેલ. ઉધારમાં ખરીદેલ કપાસીયાની રકમ ચુકવવા આરોપી નયનાબેનના પાવર ઓફ એટર્ની હોલ્ડર દરજજે રમેશચંદ્ર ભાણજી જાવીયાએ ફરીયાદીને રૂ.5 લાખ તેમજ રૂ.4,17,800 ની રકમના બે અલગ-અલગ ચેકો આપેલ હતા.
જે બંને ચેક પરત ફરતા લીગલ નોટીસ પાઠવેલ છતાં આરોપીઓએ રકમ ન ચૂકવતવા કોર્ટમાં બે અલગ-અલગ ફોજદારી ફરીયાદો દાખલ કરવામાં આવી હતી. કેસો ચાલુ હતા તે દરમિયાન ફરિયાદી જયચંદ્રભાઈનું અવસાન થતા તેમના વારસદાર નિલેશ જયચંદ્ર મેઘાણી દ્વારા આગળની તમામ કાર્યવાહી કરવામાં આવેલ. કેસ ચાલી જતા ફરીયાદીના એડવોકેટ કિશન પટેલે વિવિધ કોર્ટોનાં ચુકાદા ટાંકી ધારદાર દલીલ કરી હતી.
જે ધ્યાને લઈ વાંકાનેરના મેજીસ્ટ્રેટ વી. એસ. ઠાકોરએ ફરીયાદીનો કેસ પુરવાર માની આરોપીઓને તકસીરવાન ઠરાવી બે વર્ષની સાદી કેદની સજા તથા કુલ રૂ.18,35,600 નો દંડ કરેલ અને દંડની રકમમાંથી ચેકોની રકમ વળતર તરીકે ચૂકવવાનો હુકમ ફરમાવેલ છે. આ કેસમાં ફરીયાદી વતી એડવોકેટ કિશન એમ. પટેલ, જયદીપસિંહ બી. રાઠોડ, આદમશા જી. શાહમદાર, જયેશ નાગદેવ, પાર્થરાજસિંહ જાડેજા રોકાયેલા હતા.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy