નવી દિલ્હી,તા.30
ટોલ ટેકસને લઈને સરકાર નવી નીતિ લાગુ કરવા જઈ રહી છે જેમાં અંતર (કિલોમીટર)ના આધારે ટોલ ભરવો પડશે. જો સમયસર ટોલ ન ભર્યો તો સિબિલ સ્કોર પણ ખરાબ થશે અને ભારે દંડ પણ ભરવો પડશે.
આવી સ્થિતિમાં ભવિષ્યમાં હોમલોન કે અન્ય પ્રકારની લોન લેવામાં મુશીબત આવી શકે. માર્ગ અને પરિવહન મંત્રાલય દૂરીના આધારે ટોલ વસુલીની વ્યવસ્થા લાવવાની દિશામાં કામ કરી રહ્યું છે.
આ સ્થિતિમાં જીપીએસ મેપીંગના આધારે ટોલ નકકી કરવામાં આવશે. આ વ્યવસ્થા એ લોકો માટે ફાયદાકારક હશે જે ઓછા અંતરની યાત્રા કરે છે. પરંતુ વચ્ચમાં ટોલ પડવાના કારણે તેમને 150થી200 રૂપિયાનો ટોલ ભરવો પડે છે.
નવી વ્યવસ્થામાં બે થી પોણા ત્રણ રૂપિયા દર કિલોમીટરના હિસાબે ટોલ આપવો પડશે એટલે કે 40 કિલોમીટરની સફરમાં 150 થી 200ની જગ્યાએ 110 થી 120 રૂપિયા ટેક્ષ આપવો પડશે.
હવે ટોલ બેરિયર હટાવવા જવાની સ્થિતિમાં એ પડકાર હશે કે બધા વાહનો પાસેથી ટોલ કેવી રીતે વસુલવામાં આવે? કારણ કે ટોલ બેરિયર ન હોવા પર કોઈ રૂકાવટ નહીં રહે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy