રાજકોટ, તા.22
પ્રભુ શ્રી નિર્મિત સત્યયુગ શ્રી રામજી મંદિરે સત્યયુગાવતર શ્રી સાત પિતૃ આત્મનભગવાન પ્રેરિત બ્રહ્મમંત્રની અખંડધુન ગૌમાતા સહિત સર્વ મૂક પ્રાણીઓની સમરક્ષા અર્થે તથા વિનાશક પ્રલયાત્મક આપત્તિઓના નિવારણ માટે તેમજ સારાએ વિશ્વમાં સત્યયુગ સંસ્થાપન અર્થે છેલ્લા 34 વર્ષથી અખંડ ચાલી રહી છે. આગામી તા.24 ને ગુરૂવારના રોજ ’શ્રી રામ, જય રામ, જય જય રામ’ની અખંડ ધૂન 35 માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી છે.
આગમી તા.24 ને ગુરૂવારના રોજ અખંડ ધૂનનો 34 મો વાર્ષિક મહોત્સવનું આયોજન કરેલ છે. ત્યારે સાંજે વિશેષ સંધ્યા આરતી 7:30 કલાકે તથા સમૂહ ધૂન 7 થી 9 રાખવામાં આવેલ છે. તેમજ તા.27 ને આ વાર્ષિક મહોત્સવનો વિશિષ્ટ કાર્યક્રમ રાખવામાં આવેલ છે.
તે આ બ્રહ્મમંત્રની અખંડધૂન ગોંડલમાં 45 વર્ષથી અવિરત ચાલે છે. તેમજ ગોંડલની નજીકના ગામોમાં જેમાં સાંઢવાથામાં 45 વર્ષથી, નાનાવડીયામાં 44 વર્ષથી, ભાડવામાં 44 વર્ષથી, બીલડીમાં 36 વર્ષથી કોટડા સાંગાણી માં 21 વર્ષ થી અને રામોદમાં 2 વર્ષથી નિયમિત રોજ એક કલાક બ્રહ્મમંત્રની ધૂન ચાલે છે. તેઓ દર વર્ષે વાર્ષિક મહોત્સવ પણ ભાવભક્તિપૂર્વક ઉજવે છે.
’સાંજ સમાચાર’ની મુલાકાતે રાહુલભાઈ જોશી, બાબુભાઈ પટેલ, બ્રિજેશભાઈ આસોડીયા અને ભાવસિંહભાઈ રાઠોડઆવ્યા હતા. બ્રહ્મમંત્રની અખંડધૂન ગોંડલમાં 45 વર્ષથી અવિરત: દર વર્ષે વાર્ષિક મહોત્સવની ભાવભક્તિપૂર્વક ઉજવણી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy