જુનાગઢ મનપાની ચૂંટણીમાં માત્ર 44.32% મતદાન : જિલ્લાની નગરપાલિકાઓમાં 66.63% વોટીંગ થયું

Saurashtra | Junagadh | 17 February, 2025 | 11:46 AM
આંકડાના આધારે પરિણામો જનતા ખોટા ઠેરવે છે : ગત ચૂંટણીમાં ગણિતો ઉંધા પડયા હતા
સાંજ સમાચાર

જુનાગઢ, તા. 17
જુનાગઢ જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ગઇકાલે શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી. જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ટેન્ટેટીવ 44.32 ટકા અને જિલ્લાની નગરપાલિકાઓમાં 66.63 ટકા મતદાન થયું હતું.

મતગણતરી તા. 18 ફેબ્રુઆરીના રોજ સવારે 9 કલાકથી થશે.જુનાગઢ મહાનગરપાલિકાની મત ગણતરી જુનાગઢ કૃષિ યુનિવર્સિટી એન્જિનિયરિંગ કોલેજ બિલ્ડિંગમાં થવાની છે.

જિલ્લાની નગરપાલિકાઓમાં બાટવા 59.36, માણાવદર 56,માંગરોળ 67.20, વિસાવદર 65.54, વંથલી 69.45 અને ચોરવાડ નગરપાલિકાની ચૂંટણીમાં 79.45 ટકા એમ સરેરાશ અંદાજિત 66.63 ટકા  મતદાન શાંતિમય રીતે સંપન્ન થયું છે. વંથલી તાલુકા પંચાયત કણજા બેઠકની પેટા ચૂંટણીમાં 50.74 ટકા મતદાન થયું છે.

જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા ના માર્ગદર્શનમાં તેમજ અધિક જિલ્લા ચૂંટણી અધિકારી અને અધિક કલેક્ટર એન. એફ.ચૌધરી ના સંકલનમાં ચૂંટણી અધિકારીઓની ટીમ અને સ્ટાફ દ્વારા કરવામાં આવી રહેલી અવિરત કામગીરીના ભાગરૂપે મતદાન મથકોમાં વિવિધ વ્યવસ્થાઓ જળવાઈ હતી અને મતદારોએ શાંતિપૂર્ણ રીતે મતદાન કર્યું હતુ.

પોલીસે પણ  બંદોબસ્ત ગોઠવ્યો હતો. કલેકટર શ્રી અનિલ કુમાર રાણાવસિયાએ ચૂંટણીમાં રોકાયેલા સેવારત તમામ અધિકારીઓ-સ્ટાફને અભિનંદન આપી શાંતિમય રીતે અને સુચારું  રીતે ચૂંટણી સંપન્ન થાય તે માટે સફળ પ્રયાસોને બીરદાવ્યા હતા.

લોકશાહીના આ અવસરમાં મતદાન જાગૃતિ માટે મીડિયાના સકારાત્મક યોગદાન અંગે આભાર વ્યક્ત કર્યો હતો.રાજ્ય ચૂંટણી આયોગ ના માર્ગદર્શન હેઠળ મતગણતરીની પણ તૈયારીઓ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે.

અનુમાનો ખોટા
જુનાગઢ મનપાની ચૂંટણીમાં મતદાનની ટકાવારી આધારે પરિણામોનું અનુમાન જુનાગઢની જનતા સાચુ કરવા દેતી નથી તે મનપાની વર્ષ ર019ની ચૂંટણીમાં પુરવાર થયું હતું. તેમાં સૌથી વધુ મતદાન અને સૌથી ઓછું મતદાન બંનેમાં ભાજપને ફાયદો થયો હતો.

મનપાની ગત સામાન્ય ચૂંટણીમાં સૌથી વધુ મતદાન વોર્ડ નં.1માં 66.36 ટકા અને સૌથી ઓછું મતદાન વોર્ડ નં.11માં 36.20 ટકા થયું હતું તેમ છતાં બંને વોર્ડમાં ભાજપની પેનલો વિજેતા થઇ હતી તે ચૂંટણીમાં સરેરાશ 49.68 ટકા મતદાન થવા છતાં ભાજપને પ4 બેઠકો મળી હતી.

રાજકીય પંડિતો ઓછા મતદાનથી કોંગ્રેસને ફાયદો અને વધુ મતદાનથી ભાજપને ફાયદોના ગણિત માંડતા હતા પણ હવે મતદારોમાં જાગૃતિ આવી છે અને શિક્ષિત લોકો પણ મતદાન કરવા આગળ આવી રહ્યા છે તેથી ટકાવારીના આધારે  પરિણામનો અંદાજ ખોટો ઠરે છે. 

 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj