► પંજાબ સહિતની સરહદોએ પાકિસ્તાની દળો દ્વારા થઈ રહેલા ટોપમારા-ગોળીબારનો પણ આકરો જવાબ અપાશે: વધુ એક ત્રાસવાદી હુમલો હવે સ્વીકાર્ય નહી બને
નવી દિલ્હી,તા.8
48 કલાક પહેલા ભારતે ઓપરેશન સિંદુરથી પાકિસ્તાન પર જબરો પ્રહાર કર્યા બાદ હવે સિંદુર પાર્ટ-2ની તૈયારી હોવાના સંકેત છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એક વખત મીટીંગોનો ધમધમાટમાં વ્યસ્ત બની ગયા છે. આજે સવારે પહેલા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર શ્રી અજીત દોભલ વડાપ્રધાન નિવાસે પહોંચ્યા હતા અને લગભગ 30 મીનીટ સુધી તેઓ અહી રોકાયા.
ત્યારબાદ તુર્તજ કેન્દ્રીય ગૃહ સચીવ ગોવિંદ મોહન પણ વડાપ્રધાન આવાસે પહોંચ્યા. આમ ઉચ્ચ અધિકારીઓની સતત વડાપ્રધાન સાથે બેઠકો ચાલુ છે. સૂત્રોના જણાવ્યા મુજબ ભારત ત્રાસવાદીઓના આકા અઝહર મસુદ અને હાફીસ સઈદ બંનેને પુરી રીતે ખત્મ કરવા માંગે છે. ઓપરેશન સિંદુરમાં જે રીતે મસૂદના કુટુંબીજનોનો ખાત્મો થયો તે તેને મોટો ફટકો છે.
હવે આ બંને ત્રાસવાદીઓનું નેટવર્ક સંપૂર્ણપણે તોડી પાડવાના ટાર્ગેટ સાથે આગળ વધી રહ્યું છે નહીતર વધુ એક વખત ભારતમા ત્રાસવાદી હુમલા માટે પાકની જાસૂસી એજન્સી આઈએસઆઈ અને ત્રાસવાદી સંગઠનોને બેઠા થવાની તક મળી જશે.
ભારતે હજુ આતંકી ઠેકાણાઓને જ નિશાન બનાવ્યા છે અને પાકના લશ્કરી મથકો સલામત છે તે પછી ફરી એક વખત ભારતમાં ત્રાસવાદી પ્રવૃતિ વધે તે હવે સ્વીકાર્ય બનશે નહી.
પાક એનએસએ અસીમ મલીકે દોભલને ફોન કર્યો
ભારતના આકરા પગલાથી ડરેલુ પાક હવે વાટાઘાટ કરવા માંગે છે
નવી દિલ્હી તા.8
ભારતે કરેલા ઓપરેશન સિંદુર બાદ પાકિસ્તાન બદલો લેવાની ડંફાસ હાંકતા હતા પરંતુ હવે વાસ્તવિકતા સમજાઈ ગઈ હોય તેમ પાકિસ્તાનના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અસીમ મલીકે ભારતના એનએસએ અજીત દોભલ સાથે ટેલીફોન પર વાતચીત કરી હતી.
લાંબા સમયથી બંને દેશોના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર વચ્ચે કોઈ સંપર્ક ન હતો. પણ ભારતના ઓપરેશન બાદ હવે પાકે સામેથી આ સંપર્ક કર્યો છે. જો કે ભારતે હજુ પાક સૈન્યને કોઈ નુકસાન ન થાય તે ચિંતા કરી છે પણ પાકને ડર છે કે તેના માટે વધુ મુસીબત આવી શકે છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy