રાજકોટ તા.5
રાજકોટમાં 12 વર્ષ પછી વૃદ્ધો અને વડીલોનાં શુભાર્થે પૂ. મોરારીબાપુની 947મી વૈશ્ર્વિક રામકથા માનસ સદભાવનાનું આયોજન કરવામાં આવ્યું છે. વૈશ્ર્વિક રામકથા ‘માનસ સદભાવના’ 23 નવેમ્બરથી શરૂ થઈને 1 ડિસેમ્બર સુધી ચાલશે. વૈશ્વિક રામકથામાં સદભાવના વૃદ્ધાશ્રમનાં માર્ગદર્શક- સંરક્ષક પ.પૂ. (ડો. પરમાત્માનંદ સરસ્વતીજી, શારદાપીઠના શંકરાચાર્ય પૂ. સદાનંદ સરસ્વતીજી, પતંજલી યોગ વિદ્યાપીઠનાં સ્વામી રામદેવ, વેદાંતી વિચારસરણીના પ્રખર પુરસ્કર્તા અને પ્રચારક ચિન્મયાનંદ સ્વામીજી, ગીતામનીષી સ્વામી જ્ઞાનાનંદજી, એસ.જી.વી.પી. ગુરુકુળ, અમદાવાદનાં માધવ પ્રિય દાસજી, બાધેશ્ર્વર ધામનાં પૂ. ધીરેન્દ્ર શાસ્ત્રી સહિતના સંતો, મહંતોએ શુભેચ્છા પાઠવી છે તેમજ તેઓએ ઉપસ્થિત રહી શ્રાવકોને, આશીર્વાદ અને માર્ગદર્શન આપશે. રામાયણ જીવનના મૂલ્યો અને સત્કર્મોના પક્ષ પર ચાલવાનું પ્રેરણાસ્ત્રોત છે. વૈશ્વિક રામકથામાં સંતો, મહંતોની હાજરીથી સૌ કોઈ આધ્યાત્મિક પ્રેરણા લેશે.
વૃક્ષો અને વડીલો છાયા તેમજ ફળ બંને આપે છે. વૃક્ષો અને વડીલોની સેવા કરતા સદભાવના વૃદ્ધાશ્રમનાં લાભાર્થે તા.23 નવેમ્બર 2024થી તા.01 ડિસેમ્બર 2024 સુધી રેસકોર્ષ ગ્રાઉન્ડ, રાજકોટ ખાતે પૂ. મોરારીબાપુની વૈશ્ર્વિક રામકથા ‘માનસ સદભાવના’ યોજાનાર છે. કથાનો સમય 23 નવેમ્બરે સાંજે 4થી6.30 વાગ્યા સુધી અને 24 નવેમ્બરથી 1 ડીસેમ્બર સુધી સવારે 10 થી 1.30 સુધીનો છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy