(કેશુભાઇ માવદીયા)
માધવપુર, તા. ર8
માધવપુર પાસેના બળેજ ઘેડ ગામે પીજીવીસીએલ તંત્રએ એક રહેણાંક મકાન ઉપર વીજ લાઇનો વાયરો નાખતા પરિવારજનો સાથે જોખમ તોળાઇ રહ્યું છે.
બળેજ ઘેડ ગામે દેવીપૂજકવાસમાં રહેતા દેવીપૂજક બચુભાઇ નાનુભાઇ વાઘેલાનાં મકાન પાસે પીજીવીસીએલ અધિકારીએ વીજ પોલ ઉભો કરી વીજ લાઇનો વાયરો પણ મકાન ઉપરથી પસાર કરતા હતા.
પરિવારે વિરોધ સાથે દર્દ ભરી વિનંતી કરી હોવા છતાં પીજીવીસીએલ કર્મચારીઓએ મકાન ઉપરથી બળજબરીપૂર્વક વીજ લાઇનો પસાર કરી જતા રહેતા બચુભાઇ વાઘેલાએ પીજીવીસીએલ માંગરોળ કચેરીનાં ઇજનેર સહિત ઉચ્ચકક્ષાએ રજુઆત કરી ન્યાય માંગ્યો હતો.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy