ઈસ્લામાબાદ (પાકીસ્તાન) તા.17
પાકિસ્તાનનાં સેના પ્રમુખ જનરલ મુનિરે વધુ એક વખત ભારત વિરૂધ્ધ ઓકયુ હતું. દેશની રાજધાની ઈસ્લામાબાદમાં પ્રથમ ઓવરસીઝ પાકિસ્તાની સંમેલનનાં જનરલ મુનિરે જણાવ્યું હતું કે પાકિસ્તાનનો પાયો કલમે (ઈસ્લામ ધર્મનો મૂળ મંત્ર) પર રાખવામાં આવ્યો છે. અમે દરેક મામલામાં હિન્દુઓથી અલગ છીએ. અમારો ધર્મ અલગ છે.
અમારા રીતિ રિવાજ અલગ છે. અમારી સંસ્કૃતિ અને વિચારધારા અલગ છે.આજ ટુ નેશન થિયરીનો પાયો હતો. આટલુ જ નહિં મુનિરે કહ્યું હતું કે, પાકિસ્તાનની કથા આપના બાયકોને જરૂર સંભળાવજો.મુનીરે જણાવ્યું હતું કે, આપણા પૂર્વજોએ આ દેશ માટે બલિદાન આપ્યું છે. આપણે જાણીએ છીએ કે તેની રક્ષા કેવી રીતે કરવાની છે.
મુનિરે ભારત પર આક્ષેપ જાણીએ છીએ કે તેની રક્ષા કેવી રીતે કરવાની છે. મુનીરે ભારત પર આક્ષેપ લગાવ્યો હતો કે ભારત અમારી જમીન પર
આતંક વધારી રહ્યો છે.અમારા મુલ્કમાં ઘુસીને પાકિસ્તાની નાગરિકોને મારી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, જનરલ મુનીરનો કાર્યકાળ વધારાયો છે. તે 2027 સુધી પદ પર રહેશે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy