ઓપરેશન સિંદુરથી ઘવાયેલા પાકિસ્તાનને વધુ એક ફટકો

યુદ્ધના એંધાણ? : ભુજ સહિત દેશના 15 શહેરો પર પાક.નો મિસાઈલ હુમલો નિષ્ફળ બનાવાયો : લાહોરની એર ડિફેન્સ સીસ્ટમ તબાહ

India, Gujarat | Kutch | 08 May, 2025 | 04:08 PM
► પાક.ની એક પણ મિસાઈલ પહોંચી ન શકી : એસ - 400 એર ડિફેન્સ સીસ્ટમથી ભારતે હવામાંજ નાશ કર્યા
સાંજ સમાચાર

► વળતા હુમલામાં લાહોરની એરડિફેન્સ સીસ્ટમ તોડી પાડી: હવે પાકનું આકાશ ‘ખુલ્લુ’: મોટા હુમલાની તૈયારી

► રાત્રીના 1.10 થી 1.25 વચ્ચે બન્ને દેશો વચ્ચે ભીષણ હવાઈ યુદ્ધ ખેલાયુ

► પંજાબ-રાજસ્થાન-જમ્મુ-કાશ્મીર-ગુજરાતના શહેરોને નિશાન બનાવવાની કોશિશ નિષ્ફળ

નવી દિલ્હી: ઓપરેશન સિંદુર બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે સતત વધી રહેલા તનાવ વચ્ચે હવે બન્ને દેશો યુદ્ધની કગાર પર આવી ગયા છે. એક તરફ હજુ ભારતીય સેનાના ઓપરેશનમાં માર્યા ગયેલા આતંકીઓની લાશો કફન થઈ રહી છે. તે સમયે ગઈકાલ રાત્રીના પાક સેનાએ ગુજરાતના ભૂજ સહિત ભારતના 15 શહેરો પર કરેલા તે મિસાઈલ હુમલાને તોડી પાડવામાં આવ્યા હતા.

ભારતીય સેનાએ વળતા જવાબમાં અમૃતસરથી ફરી 57 કી.મી. દૂર લાહોરમાં પાકની એરડિફેન્સ સીસ્ટમ તોડી પડાઈ છે અને આ માટે ભારતે રશિયા પાસેથી મેળવેલા એચ-400 એર ડિફેન્સ સીસ્ટમે સફળતાપૂર્વક આ હુમલો તોડી પાડયો હતો. આજે સંરક્ષણ વિભાગે એક સતાવાર નિવેદનમાં આ માહિતી આપી હતી.

ભારતે તા.7ના પાક પરના ઓપરેશન સિંદુરમાં પાકના 9 આતંકી સ્થળો પર હુમલા કર્યા બાદ પણ હવે ભારતે આક્રમક લશ્કરી કાર્યવાહી ચાલુ રાખી છે અને લાહોરમાં ભારતીય મિસાઈલ હુમલામાં લાહોરમાં પાક સેનાની એરડિફેન્સ સીસ્ટમ જ તોડી પાડવામાં આવી છે.

ભારતીય સંરક્ષણ મંત્રાલયે એક સતાવાર નિવેદનમાં આ માહિતી આપતા જણાવાયુ કે, ભારતીય સૈન્ય મથકોને નિશાન બનાવીને હુમલાની કોશીશ થઈ હતી.

જે નાકામીયાબ બનાવવામાં આવી છે. સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે, આ હુમલાને નાકામીયાબ બનાવાયા છે. પાકના લાહોર ખાતે મિસાઈલ દાગીને એર ડિફેન્સ સીસ્ટમ તોડી પાડવામાં આવી છે. ચાઈનીઝ બનાવટની એચ-કયુ-9 પ્રકારની આ એર ડિફેન્સ સીસ્ટમ તોડીને પાકની રક્ષા પ્રણાલીને મોટો ફટકો મારવામાં આવ્યો છે.

સંરક્ષણ મંત્રાલયના નિવેદનમાં જણાવાયુ કે ગઈકાલે રાત્રીના આ હુમલો કરાયો હતો પણ ભારતીયદળોએ પાક મિસાઈલને આંતરીને તોડી પાડી હતી અને બાદમાં વળતા હુમલામાં પાકની એર ડિફેન્સ સીસ્ટમ તોડી પાડી છે.

પાક દ્વારા દાગવામાં આવેલા મિસાઈલોને તોડી પાડવામાં આવ્યા હતા. સંરક્ષણ વિભાગની યાદીને ટાંકીને આપવામાં આવેલા અહેવાલમાં જણાવ્યુ કે શ્રીનગર તથા જમ્મુ પર હુમલા થયા હતા. જે રશિયાથી ભારતને મળેલી એરડિફેન્સ સીસ્ટમ એસ-400 એ આ સફળ કાર્યવાહીથી તોડી પાડી છે અને વળતો હુમલો કરીને લાહોરની એરડિફેન્સ સીસ્ટમ તોડી પડાઈ છે.

બીજી તરફ છેલ્લી માહિતી મુજબ ગઈકાલે રાત્રીના 1.10 કલાકથી 1.20 કલાક વચ્ચે જે ભારતના 15 શહેરો પર હુમલાની કોશીશ થઈ હતી અને તમામ તાકાત બતાવાઈ છે. આમ હવે ભારત-પાક વચ્ચે યુદ્ધની સ્થિતિ શરૂ થઈ છે.

ભારતના કયાં કયાં શહેરોને નિશાન બનાવવા પ્રયાસ થયો
* ભુજ (ગુજરાત)
* અવંતિપુરા
* શ્રીનગર
* જમ્મુ
* પઠાણકોટ
* કપુરથલા
* જલંધર
* લુધીયાણા
* આદમપુર
* ભટીંડા
* ચંદીગઢ
* નાલ
* ફલોદી
* ઉતરલાઈ

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj