♦ પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના બંગલા પાસેથી પસાર થવાની અલ્પેશ કથીરીયાની હિંમત ટોળુ જોઇને ભાંગી પડી : બાયપાસ રવાના!

ગોંડલમાં રવિવારે રાજકીય હીટવેવ : અલ્પેશ કથીરીયાના કાફલા પર હુમલો : અનેક ગાડીઓના કાચ તૂટયા : ગણેશ-કથીરીયાના સમર્થકો સામસામે: ગુના દાખલ

Gujarat, Politics | Gondal | 28 April, 2025 | 11:16 AM
♦ ગણેશ જાડેજાના સમર્થકોનો જબરો વિરોધ : ઠેર ઠેર મહિલાઓ સાથે લોકોના ટોળાએ સુત્રોચ્ચાર સાથે મેદાનમાં ઉતરી કથીરીયાના કાફલાને રોકવાનો કર્યો પ્રયાસ : પથ્થરબાજી : અંતે સમય પારખી રૂટ બદલાવી કાફલો ખોડલધામ જવા રવાના થયો : ત્રણ કલાકના હાઇવોલ્ટેજ ડ્રામાથી પોલીસને પરસેવો વળી ગયો
સાંજ સમાચાર

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા)
ગોંડલ તા.28
ગોંડલમાં હું ફરવા આવુછુની પોસ્ટ મુકી જીગીશા પટેલ સાથે ગઇકાલે ગોંડલ આવી પંહોચેલા અલ્પેશ કથીરિયા નાં કાફલાને ગણેશનાં સમર્થકો નો જબરો વિરોધ સહેવો પડ્યો હતો.ઠેરઠેર અલ્પેશ કથીરિયાનો વિરોધ દર્શાવતા બેનરો સાથે મોટી સંખ્યા મા રોડ પર ઉતરી આવેલા મહીલાઓ સહિત નાં લોકોએ અલ્પેશ કથીરિયાનાં કાફલાને રોકવા નારાબાજી કરી પ્રયત્ન કર્યા હતા.આશાપુરા ચોકડી પાસે લોકોનાં ટોળા એ અલ્પેશ નાં કાફલામાં સામેલ ગાડીઓ નાં કાચ ફોડી નાખી હુમલાનો પ્રયાસ કર્યો હતો.આ સમયે પત્થરબાજી પણ થઇ હતી.

સમય પારખી અલ્પેશ કથીરિયા પોતાનો રુટ બદલાવી પ્રતિમાઓને હારતોરા કરી ખોડલધામ જવા રવાના થઇ ગયા હતા.ઞણેશ જાડેજા નાં સમર્થકો ઠેરઠેર વિરોધ પ્રદર્શિત કરી રહ્યા હોય અલ્પેશ કથીરિયા રાજમાર્ગોપર ફરી શક્યા  હતા નહી.અલ્પેશ કથીરિયાએ ગોંડલ ખરેખર મિર્ઝાપુર છે.એ સાબીત થયાનુ અને જયરાજસિંહ જાડેજાએ આ જનતાનો જવાબ હોવાનુ મિડીયાને જણાવ્યું હતું.

છેલ્લા કેટલાક સમયથી અલ્પેશ કથીરિયા,જીગીશાબેન પટેલ દ્વારા જયરાજસિંહ જાડેજાનાં પરીવાર ની ટીક્કા ટિપ્પણીઓ સાથે ગોંડલ માં ગુંડારાજ ચાલી રહ્યાનાં આક્ષેપો સોશ્યલ મિડીયામાં કરાઇ રહ્યા હતા.

આક્ષેપોનો જવાબ આપવો હોય તેમ પાટીદારોની બહુમતી ધરાવતા સુલતાનપુર માં ગણેશ જાડેજાએ જનાક્રોશ સભા લઇ અલ્પેશ કથીરિયા સહિત ને પડકાર ફેંક્યો હતો.જેને લઇ ને અલ્પેશ કથીરિયા જીગીશા પટેલ સહિત સવારે ગોંડલ આવી પંહોચ્યા હતા.

અલ્પેશ કથીરિયાની ગોંડલ મુલાકાત ને લઇને ગોંડલમાં ઉતેજના નો માહોલ છવાયો હતો.ઞણેશ ગોંડલનાં સમર્થકો શનિવાર રાત થી જ એકઠા થઇ અલ્પેશ કથીરિયાનો વિરોધ દર્શાવવા આક્રમક બન્યા હોય ગોંડલ માં જીલ્લાભર ની પોલીસનો બંદોબસ્ત તૈનાત કરી દેવાયો હતો.

અલ્પેશ કથીરિયા રાજકોટથી ગોંડલ આવવા નિકળ્યા ત્યારે રસ્તામાં રીબડા,ભુણાવા,ભરૂડી,શેમળા ચોકડી,બીલીયાળા, ભોજપરા સહિત નેશનલ હાઇવે પર ઉતરી આવેલા લોકોએ કાળા વાવટા અને બેનરો રાથે અલ્પેશ કથીરિયાનો વિરોધ દર્શાવ્યો હતો.

અલ્પેશ કથીરિયાનો કાફલો ગોંડલ આશાપુરા ચોકડીએ પંહોચ્યો ત્યારે તેની સાથે યુદ્ધ એજ કલ્યાણ ગૃપ નાં લોકો જોડાયા હતા.પરંતુ અલ્પેશ કથીરિયાને આશાપુરા ચોકડી પર ગણેશ નાં સમર્થકોનો ભારે સામનો કરવો પડ્યો હતો.પોલીસ નો બંદોબસ્ત હોવા છતા સમર્થકોએ અલ્પેશ કથીરિયાની ગાડી રેકી હાયહાય નાં સુત્રોચારો સાથે હલ્બાબોલ કરી મુકતા પેલીસે મહામહેનતે અલ્પેશ નાં કાફલાને કોર્ડન કરી આશાપુરા મંદિરે પંહોચાડ્યા હતા.દરમિયાન અલ્પેશ કથીરિયાની ગાડી સહિત અન્ય ગાડીઓ નાં કાચ ફોડાયા હતા.અને પત્થરબાજી થઇ હતી.

આશાપુરા મંદિરે દર્શન કરી અલ્પેશ કથીરિયા,જીગીશા પટેલ,ધાર્મિક માલવીપા સહિત કાફલો અક્ષર મંદિર પંહોચ્યો હતો.જ્યાં ગણેશ નાં સમર્થન માં ઉમટેલી મહીલાઓ એ નારાબાજી કરી કાફલાને અટકાવ્યો હતો.મહીલાઓ ને ખદેડી  અલ્પેશ નાં કાફલાને અક્ષર મંદિર પંહોચાડવામાં પોલીસ ને પરસેવો વળી ગયો હતો.

અક્ષર મંદિર થી જયરાજસિંહ જાડેજાનાં નિવાસસ્થાન અને ત્યાંથી લઈ મુખ્ય રાજમાર્ગોપર કોલેજચોક સુધી મહીલાઓ સહિત ગણેશ જાડેજાનાં સમર્થકોનાં ટોળા ઉમટી પડ્યા હોય રોડ બ્લોક થવાથી અલ્પેશ કથીરિયાનાં કાફલ઼એ રુટ બદલી ખટારાસ્ટેન્ડ ડો.આંબેડકર ની પ્રતિમા એ પંહોચી ફુલહાર કર્યા હતા.ત્યાંથી જેલચોક પંહોચી શહીદ ભગતસિંહ ની પ્રતિમા ને ફુલહાર કરી જેતપુર રોડ ત્રણ ખુણીયા એ પંહોચી સરદાર પટેલ ની પ્રતિમાને ફુલહાર કર્યા હતા.

અહી ગણેશ નાં સમર્થકો પંહોચી જતા માહોલ ગરમાયો હતો.જપાજપી ની ઘટના પણ બની હતી.બાદમાં ગોંડલ ફરવાનો પ્રવાસ ટુંકાવી અલ્પેશ કથીરિયા,જીગીશા પટેલ, ધાર્મિક માલવીયા સહિત નો કાફલો ખોડલધામ જવા રવાના થયો હતો.

ગોંડલમાં અલ્પેશ કથીરિયાની મુલાકાત ને લઇ ને અઢી થી ત્રણ કલાક ચાલેલા હાઇવોલ્ટેજ ડ્રામા વચ્ચે શહેર માં વાતાવરણ તંગ બન્યુ હતુ. આ બનાવમાં અલ્પેશ કથીરિયાનો કાફલો ગોંડલ માં પ્રવેશી રહ્યો હતો.ત્યારે આશાપુરા ચોકડીએ અલ્પેશ કથીરિયાની ગાડીનાં કાચ તોડી તોડફોડ કરવા અંગે ઇન્દ્રજિત ભરૂડી,પીન્ટુ સાવલિયા, લક્કીરાજસિંહ,નિલેશ ચાવડા, પુષ્પરાજ સહીત અજાણ્યા વીસ ઇસમો વિરુધ્ધ પીએસઆઇ વી.જી.જાડેજાની ફરિયાદ પરથી બી’ડીવીઝન પોલીસમાં રાયોટીંગ અંગે ગુન્હો દાખલ કરાયો છે.પીઆઇ ગોસાઇ તથા ટીમે બે ઇસમો પુષ્પરાજ તથા નિલેશ ચાવડાની તેના ઘરેથી ધરપકડ કરી અન્યોની શોધખોળ શરૂ કરી છે.

♦ આશાપુરા ચોકડીએ ટોળા પર કાર ચડાવી મનુષ્યવધના પ્રયાસ અંગે કારચાલક સામે ગુનો દાખલ
(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ, તા. 28
આશાપુરા ચોકડીએ અલ્પેશ કથીરિયાની કાર નો ઘેરાવ કરી રહેલા ટોળા પર  જીજે 36 બ્રેજા કાર નાં ચાલકે સામે ટોળુ હોવા છતા પુર જડપે કાર ચલાવી ગુન્હાહિત મનુષ્યવધ નો પ્રયાસ કરતા બી’ડીવીઝન પોલીસ માં બીએનએસ કલમ 110 મુજબ પુષ્પરાજસિહ વાળાએ ફરિયાદ કરતા પોલીસે કાર ચાલકની શોધ શરૂ કરી છે.

♦ ગોંડલ ખરેખર મિર્ઝાપુર હતું એ આજસાબિત થયું છે: અલ્પેશ કથીરીયા

♣ અનેક પાટીદારોની હત્યા થઇ તેના ગુનેગારો આઝાદ થઇ ફરી રહ્યા છે, સરકાર સુધી અવાજ પહોંચાડવા કાર્યક્રમ કર્યો છે: જીગીશા પટેલ

ગોંડલ, તા.28
ગોંડલ ખાતે અલ્પેશ કથીરિયાને લોકો વચ્ચે આવી સંબોધન નો મોકો મળ્યો ના હતો.પરંતુ મિડીયા સામે તેમણે કહ્યુ કે લોકશાહી માં વિરોધ થવો જોઈએ પણ જે રીતે હિંસાગીરી થઇ રહીછે.રેલીને રોકવાનો, લોકોને માર મારવાનો અને પોલીસ ની હાજરીમાં ગાડીઓ પર હુમલા કરવા ખરેખર ગોંડલ મિર્ઝાપુર હતું એ આજ સાબીત થયુછે.સ્વાભિમાન પર આંગળી ઉઠાવાશે ત્યારે ગોંડલ ચોક્કસ આવીશુ.પત્રકારો એ અલ્પેશ ને પ્રશ્ર્નોતરી કરીકે પાટીદાર મુખ્યમંત્રીછે. ગોંડલ રાજકોટ માં પાટીદાર સાંસદ છે.

તો પાટીદારો કેમ ભય માં? આ વેળા અલ્પેશ કથીરિયાએ ફેરવી તોળ્યુ કે ગોંડલ માં ફક્ત  પાટીદારોની વાત નથી અઢારે આલમની વાત છે.માત્ર કોઇ એક સમાજ ની વાત નથી.તેમણે કહ્યુ કે ગોંડલ ની પ્રજા પીડા ભોગવી રહીછે.તે જાણવા નો પ્રયાસ છે.

જીગીશા પટેલે કહ્યુ કે ગોંડલ માં પ્રવાસી તરીકે આવ્યા છીએ, અહી બધા આવી શકે.ગોંડલ કોઇ ની જાગીર નથી.વિનુભાઈ શિંગાળાની પ્રતિમા મુકવાની વાત કરી ત્યાં આ લોકો હલી ગયા.ઘણા પાટીદારોની હત્યા થઈ. તેના ગુનેગારો આઝાદ થઇ ફરી રહ્યાછે.તેમણે કહ્યુ કે હું ભારતીય જનતા પાર્ટી ને સવાલ કરુછુ કે આવા ગુન્હેગારોની તમારે શું જરુર છે.સરકાર સુધી અવાજ પંહોચાડવા આ કાર્યક્રમ કર્યો છે.અલબત પત્રકારો નાં કેટલાક સવાલોના જવાબ જીગીસા પટેલ આપી શક્યા ના હતા.

♦ ગૃહમંત્રી ગોંડલમાં ગુંડાઓનો વરઘોડો કેમ કાઢતા નથી? અમિત ચાવડા

♣ ઘટનાને ભાજપની ગેંગવોર ગણાવતા વિધાનસભા વિરોધ પક્ષના નેતા

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા)
ગોંડલ, તા. 28
કોંગ્રેસનાં સંગઠન સૃજન અભિયાન અંતર્ગત ગોંડલ માં આવેલા વિધાનસભાનાં વિપક્ષી નેતા અમિત ચાવડાએ કહ્યુકે ગુજરાત માં ગુંડારાજ ચાલેછે.ખેડુતો દુખીછે.પ્રજા પરેશાન છે.તેનો અવાજ કોંગ્રેસ બનશે.સંગઠન સૃજન અભિયાન જીલ્લા સંગઠન માટેનુ અભિયાન છે.સંગઠન અભિયાનનો હેતુ સામાન્ય લોકોનું રાજ આવે તેવુ અભિયાન છે.તેમણે ગોંડલમાં ગઇકાલે અલ્પેશ કથીરિયાની મુલાકાત ને ભાજપની આંતરિક ગેંગવોર ગણાવી હતી.

ગૃહમંત્રી નાના નાના વરઘોડા કાઢેછે.તો ગોંડલમાં ગુંડાઓનો વરઘોડો કેમ નથી કાઢતા તેવો સવાલ ઉઠાવ્યો હતો.અમીત ચાવડાએ કહ્યુ કે રાહુલ ગાંધી બીજી આઝાદી ની લડાઇ લડી રહ્યાછે. ભાજપવાળા કાળા અંગ્રેજો છે. ગુજરાતમાં અંગ્રેજ સાશન ચાલેછે.

રાહુલ ગાંધીએ મોદીની આંખ માં આંખ મિલાવી કહ્યુ કે 2027 માં ગુજરાત માં ભાજપને હરાવીશુ અને ગુંડારાજ ખત્મ કરીશુ. અમીત ચાવડાએ ભાજપ પર પ્રહાર કરતા કહ્યુ કે ભાજપ નાં પાપ નો ઘડો ભરાઇ ગયોછે.ઘડામાં કાંકરી મારવાનું કાર્ય કોંગ્રેસ કરશે.લોકો ધરાઇ ગયાછે.કોંગ્રેસ તરફ આશા રાખી બેઠાછે.

યતિષભાઈ દેસાઈ એ ગોંડલ માં કોંગ્રેસ નાં કાર્યકર્તાઓ સંઘર્ષ કરી રહ્યાનું જણાવ્યુ હતુ.યતિષભાઈ દેસાઈ એ ગોંડલ માં અલ્પેશ કથીરિયાની રેલીને પુર્વ ધારાસભ્ય જયરાજસિહ જાડેજાએ કોંગ્રેસ નુ કાવતરુ હોવાનુ કહ્યુ હોય તે અંગે આકરી પ્રતિક્રિયા આપતા જણાવ્યુ કે જયરાજસિહ તમે પુત્ર પ્રેમ મુકી ગોંડલ પ્રત્યે ધ્યાન આપો.અને કોંગ્રેસ ને બદનામ કરવાનુ બંધ કરો.

♦ ધારાસભાની ચૂંટણીને હજુ વાર છે પણ અણવર નહીં, વરરાજા બનીને આવો: જયરાજસિંહ જાડેજા

♣ ગોંડલની જનતાએ કથીરીયાને જાકારો આપી દીધો છે

ગોંડલ, તા.28
જયરાજસિહ જાડેજાએ કહ્યુ કે ગોંડલની જનતા એ અલ્પેશ કથીરિયાને જાકારો આપી જવાબ આપી દિધોછે.આ લોકો ચુંટણી પહેલા પાળ બાંધવા આવ્યા છે.પાટીદાર આંદોલન માં નાપાસ થયેલા લોકોછે. અલ્પેશ કથીરિયા ભાજપમાં હોવા છતા અહી ભાજપનું વાતાવરણ બગાડવા આવ્યાછે.આ અંગે હું ભાજપ હાઇકમાન્ડ ને ફરિયાદ કરીશ.

જયરાજસિંહ જાડેજાએ કહ્યુકેબહાર થી આવેલા લોકો ગોંડલ ને બદનામ કરી રહ્યાછે.અહી શાંતિ અને અમનચૈનનું વાતાવરણ છે. પરંતુ શાંતિ તોડવાનુ ષડયંત્ર કોંગ્રેસ પ્રેરીત છે.કોંગ્રેસ નાં દિનેશભાઈ પાતરે અમારા બેનરો તોડ્યા છે.તેનો આ જનાક્રોશ છે.

બહારથી આવેલા લોકોને અહી નાં પાટીદાર સમાજ ની સમજ નથી. વર્ષોથી પાટીદાર સમાજ ની આગેવાની કરતા પરસોતમભાઈ વઘાશીયા,મગનભાઈ ઘોણીયા સહિત આગેવાનો મારી સાથે છે.

ગોંડલ ને ટાર્ગેટ બનાવનારાઓ ને કહું છું કે અણવર બનીને નહી વરરાજા બનીને આવો, જનતા જવાબ આપશે.ધારાસભાની ચુંટણીને હજુ ખાસ્સી વાર છે.પણ આગામી સમય માં નગરપાલીકા, તાલુકા પંચાયત સહિત ગોંડલ ની ચાર સંસ્થાઓ ની ચુંટણીઓ આવી રહીછે.તેમાં વરરાજા બનીને આવો તેવી મારી અપીલ છે. પ્રજા જવાબ આપી દેશે. તેમણે કહ્યુ કે આ ગોંડલ ને ઉશ્કેરવાનો પ્રયાસ છે.પણ જનતા મારી સાથે છે. 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj