જસદણમાં માવઠા સાથે રાતભર વીજ પુરવઠાને અસર: શહેરીજનો પરેશાન

Local | Jasdan | 06 May, 2025 | 11:18 AM
વીજ ધાંધિયાથી જનજીવનને ભારે હાલાકી: રોષ
સાંજ સમાચાર

(ધર્મેશ કલ્યાણી) જસદણ, તા.6
જસદણ શહેરમાં ગઈકાલે સાંજે માવઠામાં સામાન્ય વરસાદના પડતા જ વીજ ધાંધિયા શરૂ થતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
જસદણ શહેરમાં ગઈકાલે સાંજે પાંચ કલાકે આસપાસ પવન સાથે વરસાદના સામાન્ય  છાંટા  પડતા જ વીજ પુરવઠો ગુલ થયો હતો. સાંજે 5-30  કલાકે વીજ પુરવઠો ગુલ થઈ ગયા બાદ રાત્રિના 7-30 વાગ્યા બાદ વીજ પુરવઠો  શરૂ  થયો  હતો.

વીજળી ગુલ થવાથી ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા. બીજી બાજુ પીજીવીસીએલ જસદણ કચેરીના ફોલ્ટ સેન્ટર નંબર સતત કલાકો સુધી વ્યસ્ત હોવાથી લોકો ફોલ્ટ પણ લખાવી શક્યા ન હતા. જ્યારે પણ જસદણમાં વીજ પુરવઠો ઠપ થાય છે.

ત્યારે  ફોલ્ટ સેન્ટરમાં સંપર્ક થઈ શકતો નથી. રાત્રે 7-30 કલાક બાદ વીજ પુરવઠો શરૂ થયા બાદ મોડી રાત્રે 12 વાગ્યાથી વહેલી સવારે 4 વાગ્યા દરમિયાન પાંચ વખત વીજ પુરવઠો ઠપ થયો હતો. આમ લોકોને અડધી રાત્રે પણ  વીજ સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો અને રાત્રે વીજ પુરવઠો નહીં હોવાથી ઉનાળાની ગરમીમાં પંખા અને એસી વગર હાલાકી ભોગવી પડી હતી.

હજુ આગામી ત્રણ ચાર દિવસ સુધી માવઠાની આગાહી છે ત્યારે વીજ તંત્ર દ્વારા યોગ્ય ધ્યાન આપીને  માવઠા અને વરસાદ દરમિયાન પણ વીજ પુરવઠો યથાવત ચાલુ રહે તે માટે તંત્ર દ્વારા યોગ્ય કરવામાં આવે તેવી નાગરિકોની લાગણી અને માગણી છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj