સપડા સિદ્ધિ વિનાયક મંદિરે ગણેશ ચતુર્થી મહોત્સવના વિવિધ કાર્યક્રમો. ધામધૂમપૂર્વક ઉજવાયા હતા.ભાવિકો ઉત્સાહભેર જોડાયા હતા. જામનગર સપડા સિદ્ધિ વિનાયક મંદીરમાં વૈશાખ સુદ ગણેશ ચતુર્થી મહોત્સવમાં શ્રી ગણપતિ મહારાજની પુજા-અર્ચના અને હોમાત્મક હવનનો લાભ હેતલ પ્રણવકુમાર સાવલીયા તથા પ્રણવ પંકજભાઈ સાવલીયાને પ્રાપ્ત થયો છે.
આજે વૈશાખી ગણેશ ચતુર્થી મહાત્સવમાં હવનના મુખ્ય યજમાન તરીકે પુજન-અર્ચન કરી ધન્યતા અનુભવશે. જેમાં સવારે 6 વાગ્યે મંગળા આરતી, ધ્વજાપુજન, નવગ્રહ પુજન, મહાયજ્ઞ પ્રારંભ, ગણપતિ થાળ ધરવામાવાએલ હતો.
બીડું હોમવામાં આવ્યું હતું. મહાપ્રસાદમાં મોટી સંખ્યામાં ભક્તજનો અને તેંના પરિવારજનો જોડાયા હતા. તેમજ સંતવાણીનું આયોજન કરાયું છે તો કાર્યક્રમનો લાભ લેવા મહંત મિલનગીરી-ગુરૂહરીગીરી મહારાજ દ્વારા જણાવાયું છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy