વડોદરાના જાણીતા અને મોટાગજાના ગણાતા બિલ્ડર સમીર શાહ ઋષિકેશમાં ગંગા નદીમાં તણાઈ ગયા હતા અને ઘટનાના 60 કલાક બાદ મૃતદેહ મળી આવ્યો હતો. આ ઘટનાથી બિલ્ડરલોબી તથા સમાજમાં શોકની લાગણી ફરી વળી હતી.
વડોદરામાં સારૂ નામ ધરાવતા સનસીટી ગ્રુપના બિલ્ડર સમીર શાહ મિત્રની પુત્રીના લગ્નમાં ઋષિકેશ ગયા હતા. આ દરમ્યાન મિત્રો સાથે દેવપ્રયાગ સંગમમાં સ્નાન માટે ગયા હતા ત્યારે એકાએક પણ લપસતા હાથમાંથી સાંકળ પણ છુટ્ટી ગઈ હતી.
આ ઘટના બાદ તુર્ત ફાયરબ્રિગેડ તથા તરવૈયાઓએ શોધખોળ હાથ ધરી હતી. કલાકોની જહેમત બાદ 60 કી.મી. દુરથી મૃતદેહ મળી આવ્યો હતો. તેઓના મૃતદેહને વડોદરા લાવવામાં આવશે. આ બનાવની જાણ થતા પુત્ર સહિતનો પરિવાર પણ ઋષિકેશ પહોંચ્યો હતો.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy