અમદાવાદ તા.8
આગામી 11 મેના રોજ મુંબઈ અને પંજાબ વચ્ચેની ધર્મશાલામાં યોજાનારી IPL-25ની મેચ હવે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ મેચ પહેલા ધર્મશાલાને બદલે મુંબઈમાં યોજવાનું આયોજન હતું. પરંતુ પંજાબે ન્યૂટ્રલ સ્થળની માગ કરતા હવે આ મેચ મોદી સ્ટેડિયમ માં યોજાશે.
ઉલ્લેખનીય છે કે, પહેલગામ આતંકી હુમલાની ઘટના બાદ 7 મે, 2025ની વહેલી સવારે ઓપરેશન સિંદૂરમાં ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનમાં 9 આતંકવાદી ઠેકાણાઓ પર એર સ્ટ્રાઇક કરી હતી. જેને પગલે ધર્મશાલા સહિત દેશના 27 એરપોર્ટ બંધ કરાયા છે.
ખેલાડીઓને લાવવા- લઈ જવાનુ મુશ્કેલ બને તેમ હોવાથી મેચનુ સ્થળ બદલવાનુ નકકી થયુ હતુ. પ્રથમ તબકકે મુંબઈના વાનખેડેમાં મેચ યોજવાનુ નકકી થયુ હતુ. તેમાં બદલાવ કરીને હવે અમદાવાદ યોજવાનો નિર્ણય લેવાયો છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy