નવી દિલ્હી તા.9
ઓપરેશન સિંદુર અંતર્ગત ભારતીય સૈન્યે કરેલી જવાબી કાર્યવાહીથી રાષ્ટ્રીય સેવક સંઘ સેના પર વારી ગયું છે. સરસંઘ સંચાલક મોહન ભાગવત અને સરકાર્યવાહ હોસબાલેએ એકસમાં લખ્યું છે- ઓપરેશન સિંદુર માટે ભારત સરકારના નેતૃત્વ અને સૈન્ય દળોને હાર્દિક અભિનંદન.
હિન્દુ યાત્રીઓના નૃશંસ હત્યાકાંડમાં પીડિત પરિવારોને તેમજ સમસ્ત દેશને ન્યાય આપવાના હેતુ થઈ રહેલી કાર્યવાહીએ પુરા દેશનું સ્વાભિમાન અને હિમ્મતને વધારી છે.
સંઘે જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય સંકટની આ ઘડીમાં સંપૂર્ણ દેશ તન, મન અને ધનથી દેશની સરકાર અને સૈન્ય દળો સાથે ઉભો છે. સંઘે સમગ્ર દેશને આહવાન કર્યું હતું કે શાસન અને પ્રશાસન દ્વારા આપવામાં આવતી બધી સૂચનાઓનું પુરી રીતે પાલન કરવામાં આવે.
સાથે સાથે સંઘે જણાવ્યું હતું કે સાવધાની રાખવી પડશે કે રાષ્ટ્રવિરોધી શક્તિઓની સામાજીક એકતા અને સમરસતાનો ભંગ કરતું એક પણ ષડયંત્ર સફળ ન થાય.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy