સુરેન્દ્રનગર સ્વચ્છ બનાવવા 170 બાઇક સાથે રેલી ‘મારો કચરો મારી જવાબદારી’ના શપથ લેવાયા

Local | Surendaranagar | 18 April, 2025 | 12:56 PM
સ્વચ્છતા અંગે જાગૃતિ ફેલાય, નાગરિકો જાહેરમાં ગંદકી ન કરે તે હેતુસર રેલીનું આયોજન કરાયું
સાંજ સમાચાર

વઢવાણ, તા. 18
સુરેન્દ્રનગર મહાનગર પાલિકા અને ટૂ-વ્હલર્સ મિકેનિક વેલફેર સોસાયટીના સંયુક્ત ઉપક્રમે મનપાના વિસ્તારમાં નાગરિકોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ ફેલાય તેમજ નાગરિકો દ્વારા જાહેરમાં ગંદકી ન કરવામાં આવે તે હેતુસર "સ્વચ્છતા બાઇક રેલી’નું આયોજન કરાયું હતું. આથી 170થી વધુ બાઇકની રેલી એમ.પી.શાહ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજથી સુરેન્દ્રનગર મનપા સુધી કરવામાં આવ્યું હતું.

આ બાઇક રેલીના માધ્યમથી સ્વચ્છ ભારત યોજનાના ભાગરૂપે સુરેન્દ્રનગર મહાનગરને સ્વચ્છ બનાવીને ગુજરાત અને ભારતને સ્વચ્છ બનાવામાં સહભાગી થવા માટે અપીલ કરવામાં આવી હતી. બાઇક રેલીમાં ભાગ લીધેલા ટૂ-વ્હીલર્સ મિકેનિકલ સોસાયટીને સંબોધન કરતા મહાનગર પાલિકાને સંબોધન કરતા મનપા કમિશનર નવનાથ ગ્વહાણેએ જણાવ્યું કે, સુરેન્દ્રનગરને સુંદરને સ્વચ્છ બનાવા માટે જે રીતે સામાજીક સંસ્થાઓ અને આગેવાનો આગળ આવી રહ્યા છે તે ખૂબ જ સરહાનિય બાબત છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ટૂ-વ્હીલર્સ એસોસિયેશન "મારો કચરો મારી જવાબદારી’ની ભાવનાથી શહેરને સ્વચ્છ રાખવાની પ્રતિજ્ઞા લીધી છે. અમે તે બાબતને આવકારીએ છીએ. સુરેન્દ્રનગર મહાનગર પાલિકા "મારો કચરો મારી જવાબદારી’ના સ્લોગન સાથે કામ કરે છે.

તેના ભાગ રૂપે શહેરની વિવિધ સેવાભાવી સંસ્થા સાથે મળીને સ્વચ્છ અને સુંદર સુરેન્દ્રનગર માટે સતત પ્રયત્નશીલ રહીને તેમજ નગરજનોમાં સ્વચ્છતા બાબતે બિહેવ્યર ચેન્જ લાવી જેના લીધે આપણું સુરેન્દ્રનગર સ્વચ્છ અને સુંદર બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. આ બાઇક રેલીમાં મનપાના કમિશનર નવનાથ ગ્વહાણે, નાયબ કમિશનર અર્જુન ચાવડા, નાયબ કમિશનર એસ.કે. કટારા તેમજ તમામ શાખાના અધિકારી, કર્મચારી ઉપસ્થિત રહ્યા હતા.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj