જામનગર તા.30: ગત સપ્તાહે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં જાણિતા ટુરીસ્ટ પોઇન્ટ ઉપર પાકિસ્તાન સર્મપિત આંતકવાદીઓએ 28 જેટલા પ્રવાસીઓની કરેલી ઘાતકી હત્યા બાદ દેશભરમાં આંતકવાદ અને પાકિસ્તાન સામે રોષ જોવા મળી રહ્યો છે અને સરકારી તંત્ર લોકોની ભીડભાડવાળી તથા સંવેદનશીલ જગ્યાઓ ઉપર સઘન ચેકીંગ કરી રહ્યું છે ત્યારે જામનગર રેલ્વે સ્ટેશનની સ્થળ મુલાકાત વેળાએ આજે સુરક્ષા અને ચેકીંગના નામે શૂન્યાવકાશ જેવી સ્થિતિ જોવા મળી હતી.
આજે સવારે 11 વાગ્યા આસપાસ રેલ્વે સ્ટેશન પરિસરમાં કયાંય સુરક્ષા વ્યવસ્થા કે ચેકીંગની કામગીરી નજરે પડી ન હતી. રેલ્વે સ્ટેશન બહાર, બુકીંગ કાઉન્ટર લોબી, પ્લેટફોર્મ અને એન્ટ્રી ગેઇટ ઉપર આરપીએફ કે રેલ્વે પોલીસ દ્વારા કોઇ બંદોબસ્ત કે ચેકીંગ જોવા મળ્યું ન હતું. લોકો મેટલ ડિટેકટરમાંથી પસાર થયા વગર કે કોઇ રોકટોક વગર અવર-જવર કરતા નજરે પડયા હતા.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy