(જીગ્નેશ ભટ્ટ) મોરબી, તા.28
મોરબીની ભૂમિ અનેક કવિ લેખકોની ભૂમિ છે.મોરબીમાં લક્ષ્મીજીની સાથે સાથે સરસ્વતીજીની પણ એટલી જ કૃપા વરસે છે.એ અન્વયે ભારત વિકાસ પરિષદના સૌરાષ્ટ્ર પ્રાંતના કોષાધ્યક્ષ અને મોરબી પ્રસિદ્ધ ગાયનોકોલોજીસ્ટ ડો.જયેશ પનારાએ ખૂબ જ મહેનત કરી વિક્રમ સંવત 1600 થી 2000 નો સાચો ઈતિહાસ બે ખંડમાં લખેલ છે. ઇતિહાસ એ કોઈ પણ રાષ્ટ્રનો પ્રાણ છે.
હાલ ભારતીય જ્ઞાન પ્રણાલી મુજબ ભારતનો ભવ્ય ઇતિહાસ,છત્રપતિ શિવાજી મહારાજ,શૂરવી રાણા પ્રતાપ, પરાક્રમી પૃથ્વીરાજ ચૌહાણ, ચંદ્રગુપ્ત મોર્ય,સમ્રાટ અશોક વગેરે મહાબળશાળી રાજાઓનો ઇતિહાસ વિદ્યાર્થીઓ ભણે એમાંથી વિદ્યાર્થીઓ રાષ્ટ્રસેવા, રાષ્ટ્રભક્તિ,રાષ્ટ્રપ્રેમની ભાવના શીખે,એ માટે ડો.જયેશભાઈ પનારાએ સંત તુલસીદાસ, ગુરુ નાનકથી માંડી મહારાણા પ્રતાપ શિવાજી મહારાજ અને મરાઠા વિજેતાઓની કથા તેમજ હિન્દુ રાજાઓનો ભવ્ય તેજસ્વી કાર્યકાળ, અંગ્રેજોનો ભારતમાં પગ પેસારો, દેશી રજવાડા, ક્રાંતિકારીઓ અને પ્રજાએ સંઘર્ષ કર્યો તેની વાત આલેખી છે.
મહત્ત્વ દર્શાવતું પુસ્તક યથાર્થ નામ નિધિ પુસ્તકનું પણ વિમોચન કરવામાં આવ્યું.આ પુસ્તક વિમોચન કાર્યક્રમમાં રાજકોટના પૂર્ણિમા સત્સંગ મંડળ દ્વારા અદ્વિતીય, અકલ્પનિય એવી રાગ રાગીણી, નૃત્ય, ભાવવાહી પ્રસ્તુતિ દ્વારા શ્રીનાથજીની ઝાંખી રજૂ કરવામાં આવી હતી. મોરબીના કેશવ પાર્ટી પ્લોટ ખાતે યોજાયેલા આ પુસ્તક વિમોચન તેમજ પનારા દંપતીના લગ્ન જીવનની પચ્ચીસમી વર્ષગાંઠની ઉજવણી કાર્યક્રમમાં વિમોચક ડો.રાજેશભાઈ ચૌહાણ એસોસીએટ પ્રોફેસર ઈતિહાસ બાળ સંશોધન વિશ્વ વિદ્યાલય તેમજ ડો.જયંતિભાઈ ભાડેસિયા સંઘ ચાલકજી પશ્ર્ચિમ ક્ષેત્ર આરએસએસ, ડો.બાબુલાલ અઘારા ઉપાધ્યક્ષ વિદ્યા ભારતી પશ્ર્ચિમ ક્ષેત્ર, ડો.મેહુલ આચાર્ય સંસ્કૃતિ આર્યગુરુકુલમ્ રાજકોટ પ્રભુચરણદાસ મહામંત્રી અખિલ ભારતીય સંત સમિતિ ગુજરાત પ્રદેશ તેમજ જયંતિભાઈ રાજકોટિયા પ્રમુખ જિલ્લા ભાજપ મોરબી, કાંતિભાઈ અમૃતિયા ધારાસભ્ય મોરબી- માળીયા, દુર્લભજીભાઈ દેથરીયા ધારાસભ્ય ટંકારા-પડધરી વગેરેની પ્રેરક ઉપસ્થિત રહ્યા હતા.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy