► મહમદ શમીને લેવાયો: અગરકર - રોહિત શર્મા વચ્ચે લાંબી બેઠક બાદ 15 ખેલાડીઓની ટીમનું એલાન: આશ્ચર્યજનક ફેરફાર નહી
મુંબઈ,તા.18
આગામી ફેબ્રુઆરીમાં ઈંગ્લેન્ડ સામેની ત્રણ વનડે મેચોની શ્રેણી તથા ત્યારબાદ ફેબ્રુઆરી-માર્ચમાં યોજાનારી ચેમ્પીયન ટ્રોફી ટુર્નામેન્ટ માટે ભારતીય ટીમનું એલાન કરવામાં આવ્યું છે. કેપ્ટનપદે રોહિત શર્માને યથાવત રાખવામાં આવ્યો છે જયારે વાઈસ કેપ્ટન તરીકે શુભમન ગીલનું નામ જાહેર કરવામાં આવ્યું છે.
જસપ્રીત બુમરાહ ઈંગ્લેન્ડ સામેની શ્રેણીમાં નહી રમે પરંતુ ચેમ્પીયન ટ્રોફીમાં સ્થાન આપવામાં આવ્યું છે. ઈંગ્લેન્ડ સામેની શ્રેણીમાં બુમરાહની જગ્યાએ હર્ષીત રાણા રહેશે. ઈંગ્લેન્ડ સામેની ત્રણ વનડે મેચની શ્રેણી 6 ફેબ્રુઆરીથી શરુ થવાની છે.
જયારે ચેમ્પીયન ટ્રોફી ટુર્નામેન્ટ 19 ફેબ્રુઆરીથી હાઈબ્રીડ મોડલ હેઠળ રમાવાની છે. ભારતના મેચો દુબઈમાં રમાવાના છે જયારે અન્ય તમામ મેચ પાકિસ્તાનમાં રમાશે. ભારતે પાકિસ્તાન જવાનો ઈન્કાર કર્યો હોવાથી ભારતના મેચો દુબઈમાં શિફટ કરવામાં આવ્યા છે.
ભારતીય પસંદગી સમીતીના અધ્યક્ષ અજીત અગરકર દ્વારા આજે 15 ખેલાડીઓની ટીમ જાહેર કરવામાં આવી હતી તે પુર્વે અગરકર અને રોહિત શર્મા વચ્ચે મીટીંગ પણ થઈ હતી. આ મીટીંગ ઘણી લાંબી ચાલતા અનેકવિધ અટકળો વ્યક્ત થવા લાગી હતી.
ભારતીય ટીમમાં મહમદ શમીને સ્થાન આપવામાં આવ્યું છે. શમીની ફીટનેસ વિશે અત્યાર સુધી ચિંતા વ્યક્ત થતી હતી પરંતુ તાજેતરમાં રણજી મેચોમાં તેણે સારુ પ્રદર્શન કરતા ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. ટીમમાં કોઈ મોટા આશ્ચર્યજનક ફેરફાર કરવામાં આવ્યા નથી.
ભારતીય ટીમ
► રોહિત શર્મા (કેપ્ટન)
► શુભમન ગીલ (વાઈસ કેપ્ટન)
► વિરાટ કોહલી
► શ્રેયસ ઐય્યર
► કે.એલ.રાહુલ
► હાર્દિક પંડયા
► અક્ષર પટેલ
► વોશિંગ્ટન સુંદર
► કુલદીપ યાદવ
► જસપ્રીત બુમરાહ
► મહમદ શમી
► અર્ષદીપસિંહ
► યશસ્વી જયસ્વાલ
► ઋષભ પંત
► રવિન્દ્ર જાડેજા
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy