જસદણ, તા. 6
જસદણ તાલુકાના જુનાપીપળીયા તાલુકા શાળાના શિક્ષક આશિષભાઈ રામાણીને ગાંધીનગર ખાતે પર્યાવરણ સંરક્ષણ એવોર્ડ એનાયત થતા શિક્ષણ જગતમાં આનંદની લાગણી ફેલાઈ છે.
માધવ ચેરિટેબલ ટ્રસ્ટ-કપડવંજ, બ્રહ્મસમાજ સેવા ટ્રસ્ટ-મહેસાણા, અનંતા એજ્યુકેશન કેમ્પસ અને વેદ ઇન્ટરનેશનલ સ્કૂલ-સરગાસણ દ્વારા ગાંધીનગર ખાતે સમગ્ર રાજ્યનાં પ્રકૃતિના સંરક્ષણ-સંવર્ધન માટે વિશિષ્ટ યોગદાન આપનાર કુલ 2,525 પર્યાવરણપ્રેમી શિક્ષકોને શિલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યાં હતા.
જેમાં રાજકોટ જિલ્લાના 36 શિક્ષકોમાં જસદણ તાલુકાનાં આશિષભાઈ રામાણી-જુનાપીપળીયા તાલૂકા શાળા, ગીરીશભાઈ બાવળીયા-વડોદ તા.શાળા,રાદડિયા લાલજીભાઈ-વિરબાઈમા ક્ધયાશાળા તથા અવતાર ચેરીટેબલ ટ્રસ્ટ-જસદણ વતી પિયુષભાઈ તળાવિયાને ગુજરાત મા.અને ઉ.મા.શિક્ષણ બોર્ડના મદદનીશ સચિવ પુલકિતભાઈ જોશીનાં વરદ હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા.
જેમાં પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે કાર્ય કરી રહેલા શિક્ષકો તેમજ પર્યાવરણપ્રેમી મિત્રોની માહિતી તેમજ ફોટોગ્રાફ્સ એકત્ર કરીને કુલ 2,525 શિક્ષકોની પસંદગી કરવામાં આવી હતી.આ તકે ખાસ ઉપસ્થિત રહીને જી.સી.ઈ.આર.ટી.-સચિવશ્રી એસ.જે.ડુમરાળીયાએ તમામ પર્યાવરણ પ્રેમીઓને અભિનંદન પાઠવ્યાં હતાં.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy