શ્રીનગર,તા.9
ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધના માહોલ વચ્ચે પાક દ્વારા વાસ્તવિક અંકુશરેખાએ ગોળીબાર જારી જ રાખવામાં આવ્યો હતો. ઘુસણખોરીની પણ કોશિશ કરવામાં આવી હતી. પરંતુ ભારતીય દળોએ પણ ઘુસણખોરોનો ખાત્મો કરી નાખ્યો હતો. ઉપરાંત પાક ચોકીનો પણ કચ્ચરઘાણ વાળી દીધો હતો.
પહેલગામ હુમલા વખતથી વાસ્તવિક અંકુશરેખાએ ગોળીબારનો સિલસિલો છે. ભારતની જવાબી સ્ટ્રાઈક બાદ સરહદ વધુ સળગી છે. પાક દળોએ વસાહતી ક્ષેત્રોને પણ નિશાન બનાવ્યા હતા. ગઈરાત્રે શાંબા ક્ષેત્રમાં ગોળીબાર વચ્ચે ઘુસણખોરીનો પ્રયાસ કરાવવામાં આવ્યો હતો તેમાં સાત ઘુસણખોરોને ઠાર મરાયા હતા.
સૈન્ય સૂત્રોએ કહ્યું કે, વાસ્તવિક અંકુશ રેખાએ ગઈકાલે પણ બન્ને દેશોના જવાનો વચ્ચે સામસામા ગોળીબાર-તોપમારા ચાલુ જ રહ્યા હતા. ભારતે એન્ટી ટેંક ગાઈડેડ મિસાઈલનો ઉપયોગ કરીને પાકિસ્તાનની ચોકીને ધ્વસ્ત કરી દીધી હતી. સૈન્ય દ્વારા તેનો વિડીયો પણ જારી કરાયો છે.
પાક સૈન્ય જવાનો દ્વારા પુંછ, રાજૌરી, અખતૂર સહિતના ક્ષેત્રોમાં ગોળીબાર કરીને યુદ્ધવિરામનો ભંગ કરાયો હતો પરંતુ ભારતીય જવાનોએ વળતો જડબાતોડ જવાબ આપ્યો હતો.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy