ઉતર પ્રદેશ ઝંઝાવાતથી ધમરોળાયુ : 58 ના મોત

આંધી - વરસાદથી ભારે તબાહી : 31 રાજયોમાં એલર્ટ

India, Gujarat | 23 May, 2025 | 11:15 AM
કાશ્મીર સરહદે અનેક શાળા - મકાનો ધરાશાયી : સૈન્ય દ્વારા રેસ્કયુ ઓપરેશન : છતીસગઢ સહિતના રાજયોમાં તાંડવ
સાંજ સમાચાર

નવી દિલ્હી,તા.23
અરબી સમુદ્રમાં આકાર લઈ રહેલી સાયકલોનીક સિસ્ટમ વચ્ચે દેશના મોટાભાગનાં ક્ષેત્રોમાં હવામાન પલટાનાં સંકેતો છે. હવામાન વિભાગ દ્વારા દેશનાં 31 રાજયો-કેન્દ્ર શાસીત પ્રદેશમાં વરસાદ-આંધીનુ એલર્ટ જારી કરવામાં આવ્યુ છે.

ઉતર પ્રદેશમાં ઝંઝાવાત-વરસાદનો કહેર જારી રહ્યો હોય તેમ 28 જીલ્લાઓમાં તાંડવ સર્જાયુ હતું અને છેલ્લા બે દિવસ દરમ્યાન વિજળી પડવાઝાડ-દિવાલ પડવા સહિતની અનેકવિધ વરસાદી દુર્ઘટનામાં 58 લોકોના મોત નીપજયા હતા. ફિરોઝાબાદમાં તેજ આંધીમાં પતરૂ ઉડતા એક મહિલાનું ગળુ કપાઈ ગયુ હતું. રાજયના 39 જીલ્લાઓમાં વરસાદ-આંધીનું એલર્ટ જાહેર કરાયું છે.

છતીસગઢમાં પણ તોફાની હવામાનમાં ચાર લોકોનાં મોત નીપજયા હતા.આજે 10 જીલ્લામાં વરસાદી તોફાનનું એલર્ટ આપવામાં આવ્યુ છે.  જમ્મુ-કાશ્મીરમાં પણ મોસમનો માર હતો.વાસ્તવિક અંકુશ રેખા નજીક અનેક સ્કુલો ધરાશાયી થઈ હતી અને સૈન્ય દ્વારા રેસ્કયુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હતું. રેસ્કયુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

પાટનગર દિલ્હીમાં પણ તોફાની વરસાદ-આંધી ફુંકાયા જ હતા. તેમાં વિમાનીથી માંડીને મેટ્રો સહિતની સેવાઓ પ્રભાવીત થઈ હતી. હવામાન વિભાગનાં રીપોર્ટ પ્રમાણે જમ્મુ-કાશ્મીર, લદાખ, હિમાચલ પ્રદેશ, ઉતરાખંડ, ઉતરપ્રદેશ, બિહાર, ઝારખંડ, ઓડીશા, પશ્ચિમ બંગાળ, આસામ, મેઘાલય, અરૂણાચલ પ્રદેશ, મણીપુર, મિઝોરમ, નાગાલેન્ડ, ત્રિપુરા, સિકકીમ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક, કેરળ, તામીલનાડુ, પુડ્ડુચેરી, આંધ્રપ્રદેશ, તથા તેલંગાણામાં આંધી-વરસાદનું એલર્ટ અપાયું છે.

ગુજરાત માટે હવામાન વિભાગે સાત જીલ્લામાં યલો એલર્ટ જારી કર્યુ છે તા.25 સુધી ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. જેમાં સોમનાથ, અમરેલી, ભાવનગર, આણંદ, ભરૂચ, નર્મદા તથા છોટા ઉદેપુરનો સમાવેશ થાય છે.

ચોમાસુ રવિવારે ભારતમાં એન્ટ્રી લેશે
નવી દિલ્હી તા.23

ભારતમાં ચોમાસાનું આગમન વહેલુ છે અને રવિવાર સુધીમાં જ કેરળનાં કાંઠે એન્ટ્રી લઈ લેશે તેવુ હવામાન વિભાગે જાહેર કર્યું છે.હવામાન વિભાગનાં રીપોર્ટ મુજબ નૈઋત્ય ચોમાસુ નિર્ધારીત ટ્રેક પર આગળ વધી રહ્યું છે અને બે દિવસમાં જ ભારતમાં પ્રવેશ મેળવી લેશે. ગત વર્ષની સરખામણીએ પાંચ દિવસ વહેલુ રહેશે.

ચોમાસાનાં આગળ ધપવા માટેની પરિસ્થિતિ અનુકુળ છે.અને અનુમાન મુજબ જ આગળ વધી રહ્યું હોવાથી 25 મી મે અર્થાત રવિવાર સુધીમાં કેરળનાં કાંઠેથી એન્ટ્રી લઈ લેશે.

ભારતમાં ચોમાસાનું સમસર આગમન અનેક ક્ષેત્રો માટે મહત્વનુ હોય છે. જુનથી સપ્ટેમ્બરની ચોમાસુ સિઝનમાં જ 70 ટકા વરસાદ વરસી જતો હોય છે. કૃષિ જેવા ક્ષેત્રોમાં આ વરસાદ નિર્ણાયક રહે છે જળાશયો ભરાવા તથા તેનાથી સિંચાઈનું પાણી મળવામાં મુખ્ય રોલ રહે છે કૃષિ અને તેના આધારે અર્થતંત્ર માટે પણ નિર્ણય હોય છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj