મુંબઈ : હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના જાણીતાં સ્ટાર શાહિદ કપૂરને પોતાનાં અંગત જીવન વિશે વાત કરવાનું પસંદ નથી. શાહિદને એક ઈન્ટરવ્યુમાં પૂછવામાં આવ્યું હતું કે શું તે પોતાની કારકિર્દીના કારણે ક્યારેય બંધ રૂમમાં રડ્યો છે ?
તેનાં જવાબમાં અભિનેતાએ કહ્યું કે, ’મારી સાથે આ થયું હતું જ્યારે મારું દિલ તૂટ્યું હતું. શાહિદે કહ્યું કે, ક્યારેક ફિલ્મ કરી રહ્યાં હોવ ત્યારે પણ આવું થાય છે. તેથી જ મારી સાથે પણ આવું થયું હતું. તે ખૂબ જ ખરાબ થયું હતું.
અભિનેતાએ કહ્યું કે, તેનાં મેક-અપ આર્ટિસ્ટે તેને કહ્યું કે તે શુટિંગ પછી રડી શકે છે ત્યારે શાહિદે કહ્યું કે હું આમાં કંઈ કરી શકતો નથી. મને લાગે છે કે હું મારી જાતને બર્બાદ કરી રહ્યો છું.
શાહિદે વધુમાં કહ્યું કે, ’ભારતીય પુરૂષોને ખૂબ જ નાની ઉંમરે એ સમજવામાં આવે છે કે તેમણે દરેક વસ્તુને સંભાળવાની છે અને દરેકની સુરક્ષા કરવાની છે, તેઓએ ઘરનાં ફેમેલી મેન બનવું પડશે. તે દરેક વ્યક્તિ કહેવામાં આવે છે.
છોકરાઓને નાની ઉંમરે જ કહેવામાં આવે છે કે, જેને તેઓ પ્રેમ કરે છે તેની સંભાળ રાખવી અને તેનું રક્ષણ કરવું કેટલીકવાર આ તેમનાં પર ઘણું દબાણ બનાવે છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy