રાજકોટ તા.24
પહેલગામમાં આતંકવાદી હુમલા બાદ પાડોશી દેશ પાકિસ્તાન સાથે ફરી વખત ટેન્શનનો માહોલ સર્જાવાને પગલે શેરબજારમાં સાવચેતીનોમાહોલ ઉભો થયો હોય તેમ ઉંચા મથાળે નફારૂપી વેચવાલીથી સેન્સેકસ 350 પોઈન્ટથી વધુ ગગડયો હતો.
શેરબજારમાં આજે માનસ સાવચેતીનુ બન્યુ હતું. વિશ્વબજારમાં પોઝીટીવ મીશ્ર સંકેતો વચ્ચે ઘરઆંગણે સાવધાની હતી જે પાછળનું કારણ પાકિસ્તાન સાથેનું ટેન્શન છે. પહેલગામ હુમલા પાછળ પાકનો હાથ હોવાના સંકેતો વચ્ચે ભારતે ધડાધડ પગલા લેવાનું શરૂ કર્યુ છે. હાલત વકરવાની આશંકાથી નવી લેવાલીમાં રસ ઓછો થયો હતો.
નફારૂપી વેચવાલી હતી. જાણીતા શેરબ્રોકરોના કહેવા પ્રમાણે વિદેશી નાણાં સંસ્થાઓની એકધારી લેવાલી, ચોમાસુ સારૂ રહેવાની આગાહી જેવા પોઝીટીવ કારણો હોવા છતાં ભૌગોલિક ટેન્શનની સ્થિતિથી વાતાવરણ ખરડાયુ હતું અને માર્કેટ રેડઝોનમાં આવી ગયુ હતું.
શેરબજારમાં આજે મોટાભાગના શેરો નબળા હતા. ટીસીએસ, અદાણી પોર્ટ, બજાજ ફાઈનાન્સ, ભારતી એરટેલ, એચડીએફસી બેંક, હિન્દ લીવર, આઈસીઆઈસીઆઈ બેંક, ઈન્ફોસીસ, કોટક બેંક, મહીન્દ્ર, સ્ટેટ બેંક, આઈશર મોટર્સ જેવા શેરો નબળા હતા. ટાટા મોટર્સ, ટાઈટન, અલ્ટ્રાટેક સિમેન્ટ, ઈન્ડુસઈન્ડ બેંક, રીલાયન્સ, ગ્રાસીમ જેવા શેરોમાં ઘટાડો હતો.
મુંબઈ શેરબજારનો સેન્સીટીવ ઈન્ડેકસ 329 પોઈન્ટના ઘટાડાથી 79767 હતો તે ઉંચામાં 80173 તથા નીચામાં 79724 હતો. નેશનલ સ્ટોક એકસચેંજનો નિફટી 91 પોઈન્ટના ઘટાડાથી 24237 હતો તે ઉંચામાં 24347 તથા નીચામાં 24216 હતો.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy