રાજકોટ,તા.9
પાકિસ્તાન સાથે વકરતા તનાવ વચ્ચે શેરબજારમાં આજે મંદીનું મોજુ ફરી વળ્યુ હતું. સેન્સેકસમાં 900 પોઈન્ટનો કડાકો સર્જાયો હતો. મોટાભાગનાં ક્ષેત્રોનાં શેરોમાં ગાબડા પડયા હતા.
શેરબજારમાં આજે શરૂઆત જ નબળા ટોને થઈ હતી. ભારત-પાક વચ્ચે ગઈરાત્રે શ્રેણીબદ્ધ સામસામા હુમલા થયાના રિપોર્ટથી સાવચેતી હતી. નફારૂપી વેચવાલી હતી. નવા લેણમાં સાવચેતી હતી.
વિદેશી સંસ્થાઓની સતત ખરીદી જેવા કારણો પણ મંદીને અટકાવી શકયા ન હતા. જાણીતા શેરબ્રોકરોનાં કહેવા પ્રમાણે ભારત-પાક ટેન્શનમાં કેવા વળાંક આવે છે તેના પર મીટ માંડવામાં આવતી હતી.
મુંબઈ શેરબજારનો સેન્સીટીવ ઈન્ડેકસ 898 પોઈન્ટ ગગડરને 79436 હતો તે ઉંચામાં 80032 તથા નીચામાં 78969 હતો.નેશનલ સ્ટોક એકસચેંજનો નીફટી 264 પોઈન્ટ તુટીને 24009 હતો તે ઉંચામાં 24164 તથા નીચામાં 23935 હતો..
મુખ્ય શેરોમાં એકસીસ બેંક, બજાજ ફાઈનાન્સ, ભારતી એરટેલ, એચડીએફસી બેંક, હિન્દ લીવર,આઈસીઆઈસીઆઈ બેંક, ઈન્ફોસીસ, મારૂતી, નેસલે, એનટીપીસી, પાવરગ્રીડ રીલાયન્સ, ટીસીએસમાં ઉછાળો હતો.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy