અમૃતસર: પંજાબના પુર્વ મુખ્યમંત્રી તથા શિરોમણી અકાલી દળના નેતા સુખબીરસિંહ બાદલ પર સુવર્ણમંદિર બહાર જ ગોળીબાર થયો હતો. જો કે બાદલના સાથીદારોએ હુમલાખોર સફળ થાય તે પુર્વે જ તેને ઝડપી લીધો હતો અને બાદલ પર જે ગોળીઓ છોડવા માંગતો હતો તેનો હવામાંજ ગોળીબાર કરાવીને બાદલને સુરક્ષિત કરી દીધા હતા.
ગઈકાલે જ સુવર્ણમંદિરમાં શ્રી બાદલે શિખ પરંપરા મુજબ અકાલ તખ્તે કરેલી સજા મુજબ સેવા કરી હતી. આજે તેઓ આ સજાના ભાગરૂપે જ પોતે તનબૈયા છે તેવું દર્શાવતા બોર્ડ સાથે સુવર્ણ મંદિર બહાર બેઠા હતા તે સમયે હુમલાખોર નારાયણસિંહ તેની નજીક આવ્યો હતો અને તેની ગન બહાર કાઢી હતી.
જો કે બાદલના સાથીદારો તે જોઈ જતા તુર્ત જ તેને ઝડપી લેવાયો હતો પણ આ દરમ્યાન તેણે જે ગોળીબાર કર્યો તે હવામાંજ કરાવીને બાદમાં તેની ગન આંચકી લીધી હતી પણ હુમલાખોરને ઝડપનાર બન્ને બાદલના સુરક્ષાગાર્ડ જ હોવાનું બહાર આવ્યું છે.
જયારે હુમલાખોર દલ બાલધા સાથે જોડાયા છે. આ હુમલાખોર ગઈકાલે પણ શ્રી બાદલની હાજરી સમયે સુવર્ણ મંદિરમાં મૌજૂદ હતા અને હુમલા માટે ‘તક’ શોધતો હોય તેવું મનાય છે. આજના ગોળીબારમાં કોઈને ઈજા થઈ ન હતી. બાદમાં બાદલની સુરક્ષા વધારી દેવાઈ છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy