લંડન :
વહેલાં સૂવાનું અને વહેલાં ઉઠવાનું વલણ લગભગ જૂનું થઈ ગયું છે. એક નવા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે આજની પેઢી મોડી રાત સુધી જાગે છે અને સવારે પણ મોડી સુધી નિંદર કરે છે. સંશોધકોનો દાવો છે કે રાત્રે વહેલાં ઊંઘનારા ટીનેજર્સનું મગજ વધુ તેજ હોય છે.
રિસર્ચ મુજબ 15 મિનિટથી વધુની ઊંઘ પણ ટીનેજર્સના બ્રેઈન ફંક્શનને સુધારવામાં મદદ કરે છે. અમેરિકન એકેડેમી ઓફ સ્લીપ મેડિસિન અનુસાર કિશોરોએ રોજની 8 થી 10 કલાકની ઊંઘ લેવી જોઇએ. કેમ્બ્રિજ યુનિવર્સિટી અને ચીનનાં સંશોધકોનો આ અભ્યાસ સેલ રિપોર્ટ્સમાં પ્રકાશિત થયો હતો.
આ મુજબ જે કિશોર વહેલાં ઊંઘે છે અને પૂરતી ઊંઘ લે છે તેઓ અભ્યાસ અને બ્રેઇન વર્કમાં બાકીનાં બાળકો કરતાં ઘણું સારું પર્ફોર્મન્સ આપે છે. ખરેખર, ઊંઘ દરમિયાન હૃદયના ધબકારા સૌથી ઓછા હોય છે અને શરીર તેમજ મનને પણ આરામ કરવાનો સમય મળે છે.
આ સંશોધનમાં 3,222થી વધુ કિશોરોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. તેમની ઊંઘ નિયમિત અને પર્યાપ્ત હતી, તેઓ વાંચન, શબ્દભંડોળ, સમસ્યા-નિરાકરણ અને અન્ય માનસિક ક્ષમતાઓમાં ઝડપી હોવાનું જણાયું હતું
ઊંઘના અભાવથી શારીરિક અને માનસિક નુકશાન
હૃદયરોગ :- લાંબા ગાળે હાઈ બ્લડપ્રેશર અને હૃદયરોગનું જોખમ વધારે છે.
ડાયાબિટીસ :- શરીરમાં ઇન્સ્યુલિનનું પ્રમાણ વધી શકે છે, જેનાથી ડાયાબિટીસનું જોખમ વધી શકે છે.
મેદસ્વીપણું :- ભૂખ વધારનારા હોર્મોન્સના સ્તરને વધારે છે, જેનાં કારણે વજન વધવાની શક્યતા વધી જાય છે.
હતાશા અને ચિંતા :- ઊંઘનો અભાવ હતાશા અને અસ્વસ્થતા તરફ દોરી શકે છે.
વિચારવાની ક્ષમતા પર અસર :- ઊંઘની વંચિતતા વિચારવાની ક્ષમતા, એકાગ્ર થવાની ક્ષમતા અને નિર્ણય લેવાની ક્ષમતાને ઘટાડે છે.
ચીડિયાપણું :- ઊંઘના અભાવને કારણે ચીડિયાપણું અને ગુસ્સો વધી શકે છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy