માંગરોળ,તા.28
જમ્મુ કાશ્મીરના પહેલગામ માં થયેલ આતંકવાદી હુમલામાં 28 જેટલા નિર્દોષ પ્રવાસીઓની હત્યા કરવામાં આવી જે તમામ મૃતાત્માઓને માંગરોળ સનાતન હિન્દુ સમાજ દ્વારા શ્રધ્ધાંજલી અર્પણ કરાઈ.
માંગરોળની લોહાણા મહાજન વાડી ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો જેમા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, વિશ્વ હિન્દુ પરિષદ સહીત રાજકીય સામાજિક ધાર્મિક સંસ્થાઓના અગ્રણીઓ અને બહોળી સંખ્યામાં સમસ્ત સનાતન હિન્દુ સમાજ ના લોકો દ્વારા આતંકી હુમલામાં નિદોર્ષ લોકોની હત્યા મામલાને વખોડી રોષ વ્યકત કરવામાં આવ્યો અને આવા કુત્ય કરનારને કડકમાં કડક દાખલારૂપ સજાની માંગ કરાઈ હતી.
આ કાર્યક્રમમાં પ્રથમ આગેવાનો દ્વારા શબ્દાજંલી અર્પણ કરાઈ ત્યારબાદ ઉપસ્થિત તમામ લોકો દ્વારા બે મિનિટનું મૌન રાખી પ્રાર્થના કરાઈ અને તમામ મૃતાત્માઓને પુષ્પાંજલિ સાથે શ્રધ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા..
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy