રાજકોટ,તા.20
રાજકોટના વિરાણી હાઈસ્કૂલના ચકચારી જમીન પ્રકરણમાં આજરોજ કલેકટર તંત્રએ ટ્રસ્ટીઓની વિરૂદ્ધમાં ચૂકાદો આપેલ છે. અને આ ચૂકાદો શહેરની પ્રજા અને વિદ્યાર્થીઓની ફેવરમાં છે.
તેવુ આજરોજ એક નિવેદનમાં આ જમીન પ્રકરણમાં સૌપ્રથમવાર દાદમાંગનાર પરસોત્તમભાઈ પીપળિયાએ જણાવેલ હતું.શ્રીપીપળીયાએ જણાવેલ હતું કે, આ જમીન માત્ર રાજય સરકારની માલિકીની છે.
તેવું હવે સાબિત થઈ ગયુ છે. આ જમીન વેંચવા અંગે અને નફાકારક પ્રવૃતિ કરવા માટે જુદા-જુદા પરિપત્રોનાં ખોટા અર્ત ઘટન કરનાર ટ્રસ્ટીઓ સામે અમોએ કલેકટર તંત્રમાં દાદ માંગી હતી.
અને વિદ્યાર્થીઓ વતી અમોએ માંગેલી દાદને જિલ્લા રેવન્યુ તંત્રએ માન્ય રાખી છે. અને જનતા તથા વિદ્યાર્થીઓનાં હિતમાં ચૂકાદો આપેલ છે. જે આવકાર્ય છે.કલેકટર તંત્રનાં ઉપરોકત ચૂકાદાથી ટ્રસ્ટીઓ હવે વિરાણી સ્કૂલની જમીનનો નફાકારક ઉપયોગ કરી શકશે નહી.અને અગાઉ જે ઉપયોગ કરાયો છે. તે અંગે તંત્ર હવે આગળની કાર્યવાહી કરે તેવી અમારી અપેક્ષા છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy