અમદાવાદ,તા.4
જો ઈન્ડિયામાં તમે મહિને લાાખ રૂપિયા કમાતા હો તો તમારી જિંદગી કોઈ રાજકારણીના નોકરથી વિશેષ કંઈ નથી, તેની સરખામણીએ જો તમે થાઈલેન્ડ જેવા દેશમાં પણ મહિને લાખ રૂપિયા કમાતા હો તો ત્યાં ઘણી સારી જિંદગી જીવી શકો..’ આ શબ્દો છે સિવિલ એન્જિનિયર સિદ્ધાર્થ સિંઘ ગૌતમ નામના એક યંગસ્ટરના, જે પોતાની જાતને સ્ટોક માર્કેટના ટ્રેડર અને ઈન્વેસ્ટર તરીકે ઓળખાવે છે.
છેલ્લા દસેક વર્ષમાં ઈન્ડિયાથી મોટી સંખ્યામાં લોકો વિદેશ જઈ રહ્યા છે ત્યારે ઈન્ડિયામાં એવરેજ લોકોની ક્વોલિટી ઓફ લાઈફ પર સવાલ ઉઠાવતા સિદ્ધાર્થે હાલમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર જે પોસ્ટ મૂકી છે તેના પર ખાસ્સી ચર્ચા થઈ રહી છે.
ઈન્ડિયામાં મહિને લાખ રૂપિયા કમાતા લોકોની સંખ્યા ભલે કુલ વસ્તીના પાંચ ટકાથી પણ ઓછી હોય, પરંતુ સિદ્ધાર્થનું માનવું છે કે આટલી આવક હોય તો પણ ઈન્ડિયામાં રહેવાનો કોઈ મતલબ નથી, તેના બદલે બને તેટલું જલ્દી દેશ છોડી દેવામાં જ સમજદારી છે.
સિદ્ધાર્થે પોતે પણ એવો દાવો કર્યો છે કે, તે ઈન્ડિયા છોડીને કાયમ માટે સિંગાપોર શિફ્ટ થવા જઈ રહ્યો છે, તેની એવી પણ દલીલ હતી કે ઈન્ડિયાની પ્રદૂષિત હવામાં શ્વાસ લેવા પોતે આવક પર 40 ટકા ટેક્સ ભરવા તૈયાર નથી અને રાજકારણીઓના તમાશા જોવામાં પણ પોતાને રસ નથી. સિદ્ધાર્થે લોકોને પણ સલાહ આપતા એવું કહ્યું હતું કે જો તમારી પાસે પૈસા હોય તો ઈન્ડિયા છોડીને જતા રહો.
સુભજીત નામના એક વ્યક્તિએ સિદ્ધાર્થને સલાહ આપી હતી કે જો તેને ઈન્ડિયા છોડવું હોય તો પહેલા તેણે એક્સ હેન્ડલ પરથી નેશનલ ફ્લેગ હટાવી દેવો જોઈએ. જોકે, તેને જવાબ આપતા સિદ્ધાર્થે એવું લખ્યું હતું કે મને દેશથી નહીં પરંતુ નેતાઓ અને પર્યાવરણથી વાંધો છે.
અમુક લોકોએ તો તેને એવી પણ સલાહ આપી છે કે જો સ્વચ્છ હવા જ જોઈતી હોય તો તે પહાડી વિસ્તારમાં શિફ્ટ થઈને પણ પોતાનું કામ કરી શકે છે, તેના માટે મુંબઈ છોડીને સિંગાપોર જવાની જરૂર નથી.
એક યુઝરે તેને એવું કહ્યું હતું કે, સિંગાપોરમાં તો ઈન્ડિયા કરતાં પણ વધારે ટેક્સ ભરવો પડશે અને ત્યાં મકાનો પણ ઈન્ડિયાથી ઘણા મોંઘા છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy