હાઈકોર્ટ ચીફ જસ્ટીસ-બાર એસો. પ્રમુખ વચ્ચે શાબ્દિક ટપાટપીનો મામલો

અદાલતની ગરિમાને આંચ ન આવવી જોઈએ: સીનીયર વકિલો હાઈકોર્ટના ચીફ જસ્ટીસને મળ્યા: બિનજરૂરી ટકરાવ ન થવો જોઈએ

Gujarat | Ahmedabad | 20 January, 2025 | 04:38 PM
શુક્રવાર જેવી ઘટનાનું પુનરાવર્તન ન થાય તે જોવાનો સૂર: વકિલોના પ્રશ્ર્નો માટે અદાલત તત્પર જ હોય છે: ચીફ જસ્ટીસ
સાંજ સમાચાર

અમદાવાદ તા.20
ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટીસ અને બાર એસોસિએશનના પ્રમુખ બ્રિજેશ ત્રિવેદી વચ્ચે ગત શુક્રવારે થયેલી શાબ્દિક ટપાટપી અને ત્યારબાદ ચીફ જસ્ટીસ દ્વારા એક આદેશ પસાર કરીને ત્રિવેદી બાર એસોસિએશનના પ્રમુખ જ નહિ પરંતુ રાજ્યની વડી અદાલતના વકીલ બનવાને પણ લાયક નથી તેવી નોંધ કર્યા બાદ ગુજરાત હાઇકોર્ટના મોટાભાગના સિનિયર વકીલો સોમવારે સવારે કોર્ટ શરૂ થતાની સાથે જ ચીફ જસ્ટીસની કોર્ટમાં દોડી આવ્યા હતા અને આવી ઘટના બીજી વખત ના બનવી જોઇએ તેવો મત વ્યક્ત કર્યો હતો. ત્યારબાદ ચીફ જસ્ટીસે સિનિયર વકીલોનો આભાર માનતા ખાતરી આપી હતી કે, તેઓ હંમેશા વકીલોની કોઇપણ મુશ્કેલી કે ચિંતા હોય તો પોતાની રીતે ઉકેલ લાવવા હંમેશા તત્પર હોય છે. તેના માટે તેઓ ક્યારેય પણ રજૂઆત કરવા આવી શકે છે. આ માટે ચર્ચા થાય તેવું વાતાવરણ હોવું જોઇએ.

એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીની તથા અન્ય સિનિયર કાઉન્સેલો આજે કોર્ટમાં આવ્યા હતા. એડવોકેટ જનરલ દ્વારા શરૂઆત કરતા જણાવવામાં આવ્યું હતું કે, શુક્રવારે બનેલી ઘટનાના સંદર્ભમાં કોર્ટ શરૂ થાય તે પહેલાં, હું કંઈક કહેવા માંગુ છું. આ શુક્રવારે બનેલી ઘટનાના સંદર્ભમાં છે. આ કોર્ટ માટે વકીલો સામાન્ય રીતે કેવું વિચારે છે તે બાબતે જે છાપ ઉભી કરવામાં આવી છે તે બાબતમાં વાત કરવા બધા સ્વૈચ્છિક રીતે અત્રે ભેગા થયા છે. હું ચોક્કસ સ્પષ્ટતા કરવા માંગુ છું કે આ કોર્ટ બાબતે કોઇ અમારી પૂર્વધારણા નથી. સૌ પ્રથમ અને સૌથી અગત્યની વાત એ છે કે, આ મહાન સંસ્થાની ગરિમા અને શિષ્ટાચાર કોઈપણ કિંમતે જાળવી રાખવો જોઈએ. બીજું, મને નિષ્ઠાપૂર્વક લાગે છે કે કદાચ બધા મારી સાથે સંમત થાય. ન્યાયનું સંચાલન બદનામ થવાથી બચાવવું જોઈએ. ત્રીજું, મને લાગે છે કે બાર અને બેન્ચ વચ્ચે પરસ્પર સહયોગી વાતાવરણ, આદર અને સંકલન હોવું જોઈએ. મને નિષ્ઠાપૂર્વક લાગે છે કે વકીલોને કોર્ટ સાથે કે કોર્ટને વકીલ સાથે કોઇ બિનજરૂરી ટકરાવ હોવો જોઇએ નહી. 

ત્રિવેદીએ વધુમાં જણાવ્યું હતું કે, મારા મતે શુક્રવારે બનેલી ઘટના ન બનતી જોઈએ. કદાચ આપણે એ વાતનું ધ્યાન રાખવાનો પ્રયાસ કરીએ છીએ કે આવી ઘટનાનું પુનરાવર્તન ન થાય. આ મહાન સંસ્થાનો ઇતિહાસ 60 વર્ષથી વધુ છે. આપણે આ પ્રકારનું વાતાવરણ જોયું નથી. તે ટાળવું જોઈએ. અમે પણ એ જ અનુભવી રહ્યા છીએ અને અમે વિચાર્યું કે આપણે બધા લોકોની લાગણી વ્યક્ત કરવી જોઈએ અને તેથી બધા સ્વેચ્છાએ ભેગા થયા છે.

આ બાબતનો જવાબ આપતા ચીફ જસ્ટીસ સુનિતા અગ્રવાલે જણાવ્યું હતું કે, તમે જે વાત કહી છે તે મારા માટે યથાર્થ છે. સંસ્થામાં ન્યાયાધીશોની જેટલી ભૂમિકા છે તેટલી જ ભૂમિકા વરિષ્ઠ વકીલોની કોર્ટના એક અધિકારી તરીકેની ભૂમિકા છે. એક ચિફ જસ્ટીસ તરીકે તેઓ તમામ અસુવિધાના કિસ્સામાં વકીલો અને ન્યાયાધીશો વચ્ચે ચર્ચા-વિચારણામાં દૃઢપણે વિશ્વાસ રાખે છે. તેઓ કોઈપણ મુદ્દા સાથે મારી પાસે આવી શકે છે. સ્વાભાવિક છે કે, હું તમારા બધાની ખૂબ આભારી છું. તમે સ્વીકાર્યું છે. તે સંસ્થાની પ્રતિષ્ઠા માટેના આ બધા પ્રયત્નોને અવગણવા જોઈએ નહીં. આપણે સંસ્થાનો ભાગ છીએ. 

ચીફ જસ્ટીસે વધુમાં જણાવ્યું હતું કે, મને લાગે છે કે મેં વકીલ તરીકે 20 વર્ષ અને ન્યાયાધીશ તરીકે 12 વર્ષ સુધી કામ કર્યું છે. આ સંસ્થાએ આપણને જે કંઈ આપ્યું છે તે મને લાગે છે કે આપણે જીવનભર તેનું વળતર આપી શકીશું નહીં. બારના વરિષ્ઠ સભ્યો અને મુખ્ય ન્યાયાધીશ તરીકે આપણો પ્રયાસ ફક્ત સંસ્થાએ જે આપ્યું છે તેને પાછું આપવાનો છે. જેથી ભાવિ પેઢી આ સંસ્થામાં વિકાસ પામી શકે. સંસ્થા મજબૂત રીતે ઊભી રહેવી જોઈએ. સંસ્થા ક્યારેય નિષ્ફળ જવી જોઇએ નહીં, ફક્ત આપણે નિષ્ફળ જઈએ છીએ.

મુખ્ય ન્યાયાધીશ તરીકે હું બારના તમામ સૂચનો અને બારની કોઈપણ ચિંતાઓ માટે હંમેશા મુક્ત મન રાખું છે. મેં હંમેશા આ વાત વ્યક્ત કરી છે અને શક્ય તેટલી શ્રેષ્ઠ રીતે તે કરવાનો પ્રયાસ કર્યો છે દરમિયાન બીજા વકીલોએ પણ મત વ્યક્ત કર્યો હતો કે સંસ્થાની પ્રતિષ્ઠાનું હનન ન થવું જોઇએ. જે વાતની ચર્ચા કોર્ટના સમય સિવાય કરવાની હોય તે કોર્ટના સમય દરમિયાન કરવી જોઇએ નહી.  

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj